Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવાના કેસમાં શાળા મેનેજમેન્ટ સામેના રાજદ્રોહના કેસને રદ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે પીએમ વિરુદ્ધ બોલવામાં આવેલા શબ્દો અપમાનજનક અને બેજવાબદાર છે, પરંતુ તે રાજદ્રોહ નથી. હાઈ જસ્ટિસ હેમંત ચંદનગૌદારે શાહીન સ્કૂલ મેનેજમેન્ટ બિદરના અલાઉદ્દીન, અબ્દુલ ખાલિક, મોહમ્મદ બિલાલ ઈનામદાર અને મોહમ્મદ મહતાબ વિરુદ્ધ ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરી હતી.


જસ્ટિસ હેમંત ચંદનગૌદારે ચુકાદો સંભળાવતા કહ્યું- નાટક દરમિયાન વડાપ્રધાનને જૂતા મારવા જોઈએ તે નિવેદન અપમાનજનક જ નહીં, બેજવાબદાર પણ છે. IPC ની કલમ 124-A (રાજદ્રોહ સંબંધિત) લાગુ કરી શકાય છે જ્યારે કોઈ વ્યક્તિના શબ્દો અથવા અભિવ્યક્તિઓ જાહેર અવ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા માટે હાનિકારક વલણ અથવા ઉદ્દેશ્ય ધરાવે છે.


કર્ણાટક હાઈકોર્ટ કહે છે કે નાગરિકને સરકાર અને તેના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા પગલાઓની ટીકા અથવા ટિપ્પણી કરવાનો અધિકાર છે, પરંતુ તે લોકોને સરકાર વિરુદ્ધ હિંસા કરવા અથવા જાહેર અવ્યવસ્થા ઊભી કરવાના ઈરાદાથી ઉશ્કેરવાનો નથી.


શું છે સમગ્ર મામલો


હકીકતમાં, વર્ષ 2020 માં, કર્ણાટકના બિદર જિલ્લાની શાહીન સ્કૂલમાં, બાળકોએ CAA અને NRC વિશે એક નાટક રચ્યું હતું. આ પછી, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શાળા દેશ વિરુદ્ધ કામ કરીને નકારાત્મક બાબતો ફેલાવી રહી છે. આ દાવાને ફગાવી દેતા શાહીન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશને કહ્યું હતું કે પોલીસ દરરોજ શાળામાં આવતી હતી અને બાળકો સાથે દેશદ્રોહી જેવો વ્યવહાર કરતી હતી.


આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે CAA એક્ટ વિરુદ્ધ ધોરણ 4ના વિદ્યાર્થીઓના સ્ટેજ પર રજૂ કરવામાં આવેલ નાટક સાંપ્રદાયિક હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અંગે નિલેશ રાકેશ્યાલાએ બિદર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 504, 505 (2), 124 (A) અને 153 (A) હેઠળ કેસ નોંધ્યો હતો.


વીર સાવરકર અને 10 કેસનો ઉલ્લેખ... રાહુલ ગાંધીની અરજી ફગાવી દેતા હાઈકોર્ટે બીજું શું કહ્યું? જાણો વિગતે








Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial