Dharmendra Pradhan Resignation: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર આવતા જ કોંગ્રેસે સરકાર પર ચોતરફી પ્રહારો શરૂ કરી દીધા છે. પાર્ટીના અધિકૃત હેન્ડલ પરથી સીધા પ્રધાનમંત્રીને નિશાના પર લેવામાં આવ્યા. કોંગ્રેસે કહ્યું, " Narendra Modi is India's past. The past can never fight the future."

Continues below advertisement

 

Continues below advertisement

બીજી તરફ, કોંગ્રેસ નેતા પવન ખેડાએ આ નિર્ણયને અપૂરતો અને વિલંબથી લેવાયેલું પગલું ગણાવતા કહ્યું, "ખૂબ મોડેથી લેવાયેલું અડધું-પડધું પગલું (A day late and a dollar short), પરંતુ આખરે આ આફતમાંથી મુક્તિ મળી. નાગરિકો અને ભારતના લોકોને હાર્દિક અભિનંદન."

આ પણ વાંચો...ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

 

'સત્યની જીત, મોદીના હઠની હાર': મલ્લિકાર્જુન ખડગે

શિક્ષણ મંત્રીના રાજીનામાના તુરંત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આને યુવાનો અને સત્યની મોટી જીત ગણાવી છે. ખડગેએ 'X' (ટ્વિટર) પર કડક વલણ અપનાવતા લખ્યું, "ભારતના વિદ્યાર્થીઓનો અવાજ આખરે અહંકારી સત્તાના ઉંબરા સુધી પહોંચી ગયો. આ મોદીજીના હઠની હાર છે." તેમણે આને ભ્રષ્ટ સિસ્ટમમાં પોતાના સ્વજનોને ખોનારા પરિવારો અને સંયુક્ત વિપક્ષના સડકથી સંસદ સુધીના સંઘર્ષની જીત ગણાવી હતી.

 

 

સરકાર પાસે જવાબદેહીની માંગ કરતા ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હવે મોદીજીએ યુવા પેઢીની માફી માંગવી જોઈએ. સાથે જ, જે લોકોએ અસહાય વિદ્યાર્થીઓ પર લાકડીઓ અને પેલેટ ગન ચલાવડાવી છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ."

'પેલેટ ગન, ટીઅર ગેસ અને લાઠીચાર્જથી બચી શકાયું હોત' - અધીર રંજન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ સરકારની દાનત અને રાજીનામાના સમય (ટાઈમિંગ) પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, "અંતે, ઓછામાં ઓછું હું એટલું કહી શકું કે સરકારને સદ્બુદ્ધિ આવી છે. આ કામ બહુ પહેલા કરી શકાયું હોત. જો આવું પહેલા જ કરી દેવાયું હોત, તો આવી અપ્રિય ઘટનાઓથી બચી શકાયું હોત. પેલેટ ગન, ટીઅર ગેસ, લાઠીચાર્જ, આ બધું જ ટાળી શકાયું હોત."

ચૌધરીએ આને સરકારનો દબાણમાં લેવાયેલો નિર્ણય ગણાવતા તીખો પ્રહાર કર્યો. તેમણે ઉમેર્યું, "હવે મને લાગે છે કે ગભરાટમાં આવીને સરકારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું છે... પોતાની હતાશાના કારણે સરકારે પોતાના જ મંત્રીનું રાજીનામું લીધું છે."

'વ્યક્તિગત પ્રતિષ્ઠા' નથી - ધર્મેન્દ્ર પ્રધાન

લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સડકો પર મચેલા હોબાળા વચ્ચે, શનિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં થઈ રહેલા ઉગ્ર પ્રદર્શનો અને વિપક્ષના તીખા પ્રહારોએ મોદી સરકારને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધી હતી.

ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપતા સ્પષ્ટ કર્યું કે આ તેમના માટે 'વ્યક્તિગત પ્રતિષ્ઠા'નો વિષય નથી. તેમણે સ્વીકાર્યું કે છેલ્લા 10 દિવસમાં જે પણ ઘટનાક્રમ સામે આવ્યો છે, તેણે તેમને વિચલિત કરી દીધા છે. જોકે, આ રાજીનામાને લઈને વિપક્ષ આક્રમક છે અને તેને સરકારની નૈતિકતા નહીં, પરંતુ તેની મજબૂરી ગણાવી રહ્યો છે.

શિક્ષણ મંત્રીનું રાજીનામું (Education Minister Resigns) ભલે થઈ ગયું હોય, પરંતુ નીટ પરીક્ષા વિવાદે (NEET Controversy) પરીક્ષા તંત્ર પર જે ગંભીર સવાલો ઊભા કર્યા છે, તેના જવાબો દેશનો યુવા વર્ગ હજુ પણ માંગી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ ભારે રાજકીય નુકસાનને કંટ્રોલ કરવા માટે સરકાર આગળનું પગલું શું ભરે છે.