નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronvirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (India Corona Cases) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.61 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને 879 લોકોના મોત થયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 879 લોકોના મોત થયા છે. જોકે 97,168 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 36 લાખ 89 હજાર 4537

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 22 લાખ 53 હજાર 697

  • કુલ એક્ટિવ કેસ - 12 લાખ 64 હજાર 698

  • કુલ મોત - એક લાખ 71 હજાર 058


10 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 85 લાખ 33 હજાર 085 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં છેલ્લા 8 દિવસમાં નોંધાયેલા કેસ



  • 12 એપ્રિલઃ 1,68,912

  • 11 એપ્રિલઃ 1,52, 879

  • 10 એપ્રિલઃ 1,45,384

  • 9 એપ્રિલઃ 1,31,968

  • 8 એપ્રિલઃ 1,26,789

  • 7 એપ્રિલઃ 1,15,736

  • 6 એપ્રિલઃ 96,982

  • 5 એપ્રિલઃ 1,03,558


કોરોના વાયરસને કાબૂ લેવા માટે રાજ્ય સરકારોએ નિયંત્રણો વધારવાનું શરૂ કરી દીધું છે. કેટલીક જગ્યાએ નાઈટ કર્ફ્યુ તો કેટલાક શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી, યૂપી, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઉપરાંત અનેક જગ્યાએ સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અનેક જગ્યાએ માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈ પણ છે.