શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને ઝટકો, જાતીય શોષણ કેસમાં FIR દાખલ કરવા કોર્ટનો આદેશ
Swami Avimukteshwaranand News: કોર્ટે પોલીસ રિપોર્ટની પણ નોંધ લીધી અને સુનાવણી બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો. કોર્ટના આદેશના આધારે હવે કેસમાં આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Swami Avimukteshwaranand News: પ્રયાગરાજમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ યૌન શોષણના આરોપોના મામલે એડીજે રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટ તરફથી મોટો આદેશ સામે આવ્યો છે. એડીજે પોક્સો એક્ટ વિનોદ કુમાર ચૌરસિયાએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય મુકુંદાનંદ ગિરી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે પોલીસને મામલો નોંધવીને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
#BREAKING: A POCSO court in Prayagraj has ordered the registration of an FIR against Swami Avimukteshwaranand Saraswati in a case of sexual abuse of children pic.twitter.com/FNwVJZrQT4
— IANS (@ians_india) February 21, 2026
કોર્ટના આદેશ બાદ હવે ઝૂંસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવશે. શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી, જેમાં એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આરોપ લગાવનારા બંને સગીરો નિવેદનો 13 ફેબ્રુઆરીના રોજ અદાલતમાં વીડિયોગ્રાફી સાથે નોંધવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસ રિપોર્ટની પણ નોંધ લીધી હતી અને સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે કોર્ટના આદેશ બાદ આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી થશે.
આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમણે કથિત ઘટનાઓ સાથે સંબંધિત સીડી (CD) પણ અદાલતમાં સોંપી છે. તેમણે કહ્યું કે તેમને ન્યાય મળ્યો છે અને તેઓ પ્રયાગરાજથી વિદ્યા મઠ, વારાણસી સુધી પગપાળા સનાતન યાત્રા કાઢશે જેથી લોકોની સામે સત્ય લાવી શકાય. આ મામલો સામે આવ્યા બાદ ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલમાં કોર્ટના આદેશ અનુસાર પોલીસ હવે કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરશે.
તમને જણાવી દઈએ કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ અને શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારીએ આરોપ લગાવ્યો હતો કે માઘ મેળા દરમિયાન એક સગીર અને એક પુખ્ત બાળક તેમની પાસે આવ્યા હતા, જેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર કુકર્મનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિષ્યો જ આ બાળકો પર ગુરુ સેવાના નામે સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા. નોંધનિય છે કે, મી અવિમુક્તેશ્વરાનંદ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે. હાલમાં તેઓ યૂપી સીએમ સાથેના વિવાદને લઈને પણ ચર્ચામાં છે. આ વિવાદ માઘ સ્નાન સમયે થયો હતો.






















