નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે, કોરોનાની બીજી લહેરે દેશમાં ભાર તબાહી મચાવી હતી, આ દરમિયાન લાખો લોકોનો જીવ ગયો છે. હેલ્થ એક્સપર્ટ હવે કોરોનાની ત્રીજી લહેર આવવાનો અંદેશો પણ વ્યક્ત કરી રહ્યાં છે. તાજેતરમાં જ દેશમાં કૉવિડ-19ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની પુષ્ટી થઇ છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, ચાર વધુ નવા વેરિએન્ટ છે, જેનાથી સંક્રમણનો ખતરો ખુબ વધી ગયો છે. 


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 4 અન્ય કૉવિડ-19 વેરિએન્ટને નજીકથી મૉનિટર કરવામાં આવી રહ્યાં છે. આમાં B.1.617.3 વેરિએન્ટ, (B.1.617.2), વેરિએન્ટ, B.1.1.318 વેરિએન્ટ, લેમ્બ્ડા (C.37) અને કપ્પા વેરિએન્ટ (B.1.617.1) સામેલ છે. જોકે એક્સપર્ટ્સનુ માનવુ છે કે આ તમામ ચાર કૉવિડ-19 વેરિએન્ટ ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટની સરખામણીમાં એટલા બધા પ્રભાવી નથી. 


દેશમાં બે કૉવિડ-19 વેરિએન્ટ પહેલાથી જ છે.....
દેશમાં કૉવિડ-19 B.1.617.3 અને B.1.1.318 વેરિએન્ટ પહેલાથી અવેલેબલ છે. એક્સપર્ટ્સે ચિંતા વ્યક્ત કરી છે કે આ તમામ વેરિએન્ટ ઇન્ટનેશનલ ટ્રાવેલ દ્વારા દેશમાં એન્ટર કરી શકે છે. જો સમય રહેતા આની તપાસ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં સ્થિતિ કન્ટ્રૉલથી બહાર થઇ શકે છે. 


ધ પલ્બિક હેલ્થ ઇંગ્લેન્ડે આપી આ મોટા જાણકારી- 
નોંધનીય છે કે કૉવિડ-19ના ડબલ મ્યૂટેન્ટ B.1.617નો પહેલો કેસ મહારાષ્ટ્ર સામે આવ્યો હતો. આ બાદ ત્રણ બીજા વેરિએન્ટ્સની પુષ્ટી કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ B.1.617.1 ને કપ્પા વેરિએન્ટ અને B.1617.2ને ડેલ્ટા વેરિએન્ટનુ નામ આપવામાં આવ્યુ છે. વળી, ધ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (PHE)એ જણાવ્યુ કે લેમ્બ્ડા વેરિએન્ટ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, આ કૉવિડ-19 વેરિએન્ટ કેટલાય દેશોમાં મળી આવ્યો છે. 


Corona Cases India: દેશમાં કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંકમાં થયો મોટો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ આંકડો---- 
ભારતમાં કોરાના સંક્રમણ મામલા ફરી 50 હજારથી ઓછા નોંધાયા છે.   સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 46,148 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 979 લોકોના મોત થયા છે, જ્યારે 58578 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.


દેશમાં સતત 46મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 27 જૂન સુધી દેશભરમાં 31 કરોડ 50 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 61 લાખ  19 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 40 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17 લાખ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.


દેશમાં કોરોના વાયરસની સ્થિતિ-
કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 2 લાખ 79 હજાર 331
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 93 લાખ 09 હજાર 607
કુલ એક્ટિવ કેસ - 5 લાખ 72 હજાર 994
કુલ મોત - 3 લાખ 96 હજાર 730


કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે-
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.80 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.


દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર- 
કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.