Cyclone Montha:રવિવારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા  વધુ તીવ્ર બનીને વધુ ગંભીર લો પ્રેશર એરિયામાં  ફેરવાઈ ગયું. તે ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઓડિશા સરકારે તમામ 30 જિલ્લાઓને એલર્ટ પર રાખ્યા છે. પશ્ચિમ બંગાળ વાવાઝોડાથી પ્રભાવિત થશે. દરમિયાન, આંધ્રપ્રદેશ સરકારે ચક્રવાત મોંથા આગમનની અપેક્ષાએ રાહત અને આવશ્યક પુરવઠા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સેનાની ટીમો પણ એલર્ટ પર છે.

Continues below advertisement

જાણો આ વાવાઝોડું ક્યારે ત્રાટકશે

ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, આ વાવાઝોડું મંગળવાર (28 ઓક્ટોબર) ની સાંજે અથવા રાત્રે કાકીનાડાની આસપાસ, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે, જેમાં મહત્તમ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન  વિભાગે જણાવ્યું હતું કે, 28 અને 29 ઓક્ટોબરે ઓડિશામાં ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદ પડશે.

Continues below advertisement

રેડ અને ઓરેંજ એલર્ટ જાહેર

IMD આઇએમડીએ ઓડિશાના અનેક દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓ માટે   રેડ એલર્ટ, ઓરેંજ એલર્ટ  અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે. કેટલાક સ્થળોએ 20 સેન્ટિમીટરથી વધુ વરસાદ પડવાની આગાહી છે. ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ 30 જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, અને કર્મચારીઓ અને મશીનરી બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર છે.

સરકારી કર્મચારીઓની રજાઓ રદ

ઓડિશાના મંત્રીએ જણાવ્યું હતું કે, મોંથાની તીવ્રતાને જોતા  તે અનેક જિલ્લે પ્રભાવિત કરી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠા અને દક્ષિણ પ્રદેશોના 15 જિલ્લાઓ ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે. દરમિયાન, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ અને દરિયાકાંઠાના પ્રદેશોના આશરે સાત જિલ્લાઓએ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી છે.

NDMA ટીમ સેના સાથે એલર્ટ પર છે

ઝડપી ગતિએ વધી રહેલા ચક્રવાતી વાવાઝોડા 'મોન્થા'ને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. મધ્ય-પૂર્વીય અરબી સમુદ્ર અને દક્ષિણપૂર્વીય બંગાળની ખાડીમાં રચાયેલી બે અલગ-અલગ હવામાન પ્રણાલીઓ આગામી 48 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને તેવી શક્યતા છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

ચક્રવાતી વાવાઝોડું તીવ્ર બનવાની શક્યતા

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, "આગામી 24 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણપશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનવાની શક્યતા છે. તે ઉત્તરપશ્ચિમ તરફ, પછી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાવાની શક્યતા છે."