આજે બપોરે નિસર્ગ વાવાઝોડુ મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાયું હતું. ચક્રવાતના કારણે મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આગામી બે - ત્રણ કલાક વાઝોડાની અસર વધારે રહેવાની શક્યતાઓ છે, કારણ કે વાવાઝોડાની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક બતાવવામાં આવી રહી છે.
રાયગઢ, રત્નાગિરી અને મુંબઇમાં નિસર્ગ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે, અને રસ્તાંઓ પર અવરજવરને રોકી દેવામાં આવી છે.