મુંબઈઃ સોમવારે તૌક્તે વાવાઝોડું મુંબઈમાંથી પસાર થયું હતું. તે સમેય બાર્જ પી305 નામનું જહાજ મુંબઈના દરિયામાં ફસાયું હતું. જેમાંકુલ 273 લોકો સવાર હતા. હાલ આ જહાજ ડૂબવાના અહેવાલ સામે આવ્યા છે અને જહાજમાં સવાર 127 લોકોની કોઈ જાણકારી મળી નથી.


જહાજ બચાવવા માટે પહેલાથી એલર્ટ નૌસેનાએ પૂરી કોશિશ કરી હતી. તેના રેસ્ક્યૂ માટે આઈએનએસ કોચ્ચિને રવાના કરાયું હતું. પરંતુ સ્થિતિ ખૂબ ખરાબ હતી. દરિયામાં ઊંચી લહેરો અને તીવ્ર ગતિએ પવન ફૂંકાતો હતો. તેથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવતી હતી. બાદમાં આઈએનએસ કોલકાતાએ પણ અભિયાન હિસ્સો લીધો હતો.



વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.


અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. વાસણા, શેલણા, એસજી હાઈવે, પ્રહલાદનગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈન, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.


અમરેલીના સાવરકુંડલામાં સાત ઈંચ, ભાવનગરના પાણીતાણામાં સાડા છ ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંટ ઈંચ, મહુવામાં પાંચ ઈચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ગઢડામાં ચાર ઈંચ, વિસાવદરમાં ચાર ઈંચ, ઉમરાળામાં પોણા ચાર ઈંચ,  ધારીમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં શહેરમાં ત્રણ ઈંચ, જેસરમાં પોણા ત્રણ ઈંચ, વલભીપુરમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.


સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદી માહોલ છે. ચુડા તાલુકામાં રાત્રે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ચુડા તાલુકા વીજળી ગુલ થઈ છે.