Telegram ban: ગુરુવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ એપ સંબંધિત અનેક ટેક્નિકલ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે પરીક્ષા પહેલાં કેટલીક અસામાજિક  તત્વો દ્વારા આ એપનો દુરુપયોગ થવાની શક્યતા છે, જેના કારણે પરીક્ષાની ગોપનીયતા અને નિષ્પક્ષતા પર અસર પડી શકે છે.

Continues below advertisement

ટેલિગ્રામ એપ પર લાગેલી અસ્થાયી પ્રતિબંધ સામે એપ દ્વારા કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઇકોર્ટે નામંજૂર કરી દીધી છે. NEET UG રી-એગ્ઝામ પહેલાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ટેલિગ્રામે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેને હાઇકોર્ટે શુક્રવારે (19 જૂન, 2026) નામંજૂર કર્યો. આ નિર્ણય જસ્ટિસ તેજસ કારિયાની સિંગલ બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો.

Continues below advertisement

કોર્ટએ અરજી નામંજૂર કરતાં કહ્યું કે સરકારનો નિર્ણય અસંગત કહી શકાય નહીં. ગયા મહિને 3 મેના રોજ NEET UGની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ બાદમાં પેપર લીકનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દે દેશભરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તથા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સરકારે 3 મેની પરીક્ષા રદ કરી દીધી હતી.

હવે 21 જૂને ફરીથી પરીક્ષા યોજાવાની છે, તેથી સરકાર તમામ પ્રકારની સાવચેતી રાખી રહી છે જેથી ફરી આવી ઘટના ન બને. આ જ કારણસર સંભાવિત જોખમને ધ્યાનમાં રાખીને સરકારે ટેલિગ્રામ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચો: WhatsApp પર નહીં રહે પ્રાઇવસીની ચિંતા, જોતાની સાથે જ ગાયબ થઇ જશે મેસેજ

ગુરુવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ એપ સંબંધિત અનેક ટેક્નિકલ મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે પરીક્ષા પહેલાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા એપનો દુરુપયોગ થવાની શક્યતા છે, જેના કારણે પરીક્ષાની ગોપનીયતા અને નિષ્પક્ષતા પર અસર પડી શકે છે.

જોકે, કોર્ટએ સરકારના નિર્ણય પર કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે માત્ર થોડા વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને લગભગ 15 કરોડ યુઝર્સને એપનો ઉપયોગ કરવાથી કેવી રીતે રોકી શકાય?

ટેલિગ્રામે સરકારના નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તેને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય સમાન એપ્સ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી અને તેમનો ઉપયોગ યથાવત ચાલુ છે. ટેલિગ્રામે દલીલ કરી હતી કે સરકારનો આ નિર્ણય ભારતીય સંવિધાનના અનુચ્છેદ 14 હેઠળ મળતા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.