નવી દિલ્લી: કોરોનાના કેસ ઓછા થતાં દિલ્લીમાં અનલોકનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) અનલોક-7ને લઇને  ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ વખતે એજ્યુકેશનલ અને ઇન્સ્ટૂચ્યૂશનલ  ટ્રેનિંગને ધ્યાનમાં રાખીને  રાહત અપાઇ છે. જો કે લાંબા સમયથી સિનેમા હોલ, થિયેટર, અને મલ્ટીપ્લેક્સ ખોલવાની માંગણી કરતા વ્યવસાયીઓને રાહત નથી મળી.


અનલોક-7માં  દિલ્લીમાં  શું છૂટછાટ અપાઇ



  • કોઇપણ પ્રકારની ટ્રેનિગ જેમકે દિલ્લી પોલીસ, આર્મી, જેમાં કોઇ સંસ્થાનની સ્કિલ ટ્રેનિંગ, કર્મચારી અને સ્કૂલ  કોલેજ સાથે જોડાયેલી ટ્રેનિંગને છૂટ અપાઇ છે. આ ટ્રેનિગ માટે (DDMA)ની મંજૂરી નહીં લેવી પડે.

  • એકેડમિક ગેધરિંગની મંજુરી અપાઇ છે, જેમકે સ્કૂલ, કોલેજમાં કોઇ એકેડેમિક કાર્યક્રમ, લેક્ચર કે કોઇ અન્ય શૈક્ષણિક પ્રોગ્રામની અનુમતિ અપાઇ છે.

  • આ સાથે સ્કૂલ અથવા શૈક્ષણિક સંસ્થાનમાં ઓડિટોરિયમ અને એસેમ્બલી હોલની શૈક્ષણિક ટ્રેનિંગ અને મિટિગ માટે 50 ટકા ક્ષમતાની સાથે ખોલવાની મંજૂરી અપાઇ છે.

  • આ આદેશ 12 જુલાઇ સવારે 5 વાગ્યાથી 26 જુલાઇ 5વાગ્યા સુધી ચાલુ રહેશે.


અનલોક-7માં શું બંધ રહેશે



  • સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટ બંધ રહેશે

  • બધા જ સામાજિક, રાજનૈતિક, સ્પોર્ટસ, ઇન્ટરટેઇનમેન્ટ, સાસ્કૃતિક, ફેસ્ટિવલ,સબંધિત આયોજન પર પ્રતિબંધ

  • સ્વિમિંગ પુલ બંધ રહેશે.

  • સિનેમા ઘર, થિયેટર, મલ્ટીપ્લેક્સ બંધ રહેશે

  • ઓડિટોરિમ, એસેમબ્લી હોલ 50 ટકાની સીટિંગ ક્ષમતા સિવાય બંધ રહેશે

  • બિઝનેસ ટૂ બિઝનેસ એક્ઝિબિશન બંધ રહેશે

  • સ્પા બંધ રહેશે


 



  • દિલ્લીમાં શું ખૂલ્લુ રહેશે
    પ્રાઇવેટ ઓફિસ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે

  • બધી જ દુકાનો સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી રખાશે

  • બધા જ માર્કેટ, મોલ્સ પણ સાંજે 8 સુધી ખુલ્લા રહેશે.

  • રેસ્ટોરન્ટ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહેશે

  • સાપ્તાહિક બજાર ખોલવાની પણ મળી મંજૂરી

  • જિમ 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રહેશે

  •  દિલ્લી મેટ્રો 50 ટકા ક્ષમતા સાથે દોડશે

  • ઓટો રિક્ષા, કેબની સેવાને મળી મંજૂરી

  • ધાર્મિક સંસ્થાન ખુલ્લા રહેશે, દર્શનાર્થીને પ્રવેશને મંજૂરી