Gurmeet Ram Rahim Gets Z Plus Security: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે 7 ફેબ્રુઆરીએ જેલમાંથી મુક્ત થયા બાદ રામ રહીમને ઉચ્ચ સ્તરનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું કારણ કે તેમના જીવનને "ખાલિસ્તાન સમર્થક" તત્વોથી તેમના જીવને જોખમ હતું. ડેરા સચ્ચા સૌદા ચીફને 7 ફેબ્રુઆરીએ મુક્ત કરવામાં આવ્યા હતા.


હરિયાણાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા રોહતક રેન્જ કમિશનરને મોકલવામાં આવેલા તાજેતરના સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, "જો કેદીને પેરોલ પર છોડવામાં આવે છે, તો હાલના નિયમો અનુસાર ઝેડ-પ્લસ સુરક્ષા અથવા સમકક્ષ સુરક્ષા આપવામાં આવશે કારણ કે કેદીને ભારત અને વિદેશમાં કટ્ટરપંથી શીખ ઉગ્રવાદીઓ તરફથી ખતરો છે.


સત્તાવાર સંદેશાવ્યવહારમાં જણાવ્યું  "ગુરમીત રામ રહીમને ધમકી આપવા અંગે ખાલિસ્તાન તરફી કાર્યકરો પાસેથી વિશ્વસનીય માહિતી છે,"  ડેરા સચ્ચા સૌદાના વડાને 7 ફેબ્રુઆરીએ મુક્ત કરવામાં આવ્યા હતા  જ્યારે હરિયાણા સરકારે તારણ કાઢ્યું હતું કે તે કટ્ટર કેદીઓની શ્રેણીમાં આવતો નથી. સિંહ હાલમાં તેમના ગુરુગ્રામ આશ્રમમાં છે અને તેમને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે.


ગુરમીત રામ રહીમને 'ફરલો' આપવામાં આવે તે પહેલાં, જેલ સત્તાવાળાઓની વિનંતી પર કાનૂની અભિપ્રાય લેવામાં આવ્યો હતો કે શું સિંહ હાર્ડકોર ગુનેગારોની શ્રેણીમાં આવે છે કે નહીં. પંજાબ વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા સિંહને 21 દિવસની રજા મળી હતી. પંજાબમાં ખાસ કરીને ભટિંડા, સંગરુર, પટિયાલા અને મુક્તસરમાં આ સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે.



7 ફેબ્રુઆરીએ હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે રામ રહીમની મુક્તિ અને 20 ફેબ્રુઆરીએ પંજાબ વિધાનસભાની ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. "મને લાગે છે કે આ એક સંયોગ છે અને તેને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
"
ડેરા પ્રમુખ સિરસામાં તેના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. સિંહને ઓગસ્ટ 2017માં પંચકુલાની વિશેષ CBI કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.


ગયા વર્ષે, સિંહને 2002 માં ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાનું કાવતરું ઘડવા બદલ અન્ય ચાર સાથે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ડેરા પ્રમુખ અને અન્ય ત્રણને 16 વર્ષ પહેલા એક પત્રકારની હત્યા માટે 2019માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.