નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસની અસર હવે ભારતમાં પણ થવા લાગી છે. કોરોના વાયરસને લઇને કોરોના હવે સરકાર હરકતમાં આવી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને માહિતી આપી છે કે ભારતમાં અત્યારુ સુધી કોરોના વાયરસના કુલ 28 કેસો સામે આવ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોરોનાના આ 28 કોસમાં દિલ્હીમાંથી એક કેસ, અને આમાંથી ત્રણ દર્દીઓ સજા થઇ ચૂક્યા છે, જે કેરાલાના છે. હવે વિદેશમાંથી આવનારા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવશે, પહેલા માત્ર 12 દેશો માટે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.

ભારતમાં કોરોના વાયરસનો સામનો કરવા માટેની તૈયારીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને વરિષ્ઠ અધિકારીઓને મળીને બેઠક કરી હતી, અને તૈયારીઓની તપાસ પણ કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રીએ બુધવારે જાહેરાત કરી કે અત્યાર સુધી 15 લેબ હતી, ત્યાં કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. હવે સરકાર તરફથી વધુ 19 લેબ બનાવવામાં આવશે.



સ્વાસ્થ્ય મંત્રી અનુસાર ક્યાંથી કેટલા કેસો સામે આવ્યા.....
- કેરાલામાં ત્રણ કેસ સામે આવ્યા, હાલ બધા ઠીક થઇ ગયા છે
- દિલ્હીમાં એક કેસ નોંધાયો છે, તેના કારણે તેના 6 સંબંધીઓ પણ ઝપેટમાં આવી ગયા છે.
- તેલંગાણામાં પણ એક સામે આવ્યો.
- ઇટાલીથી આવેલા કુલ 17 લોકો પર કોરોના વાયરસની અસર (16 ઇટાલી + એક ભારતીય)

આનો અર્થ એ કે ભારતમાં અત્યાર સુધી 7+1+17 = 25 કેસ કોરોના સાથે સંબંધિત છે.



શું છે કોરોના વાયરસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.



કોરોનાથી બચવા આ બાબતો રાખો ધ્યાનમાં

1.કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ. ખાંસી દરમિયાન ટિશ્યૂ મોં પર રાખવું ને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેકી દેવું.

2.હાથ ધોવા માટે સેનિટાઇઝર કે ઉચ્ચ ગુણવત્તાવાળા સાબુનો ઉપયોગ કરો. 20 સેંકડ સુધી હાથ પર સાબુ કે સેનિટાઇઝર લગાડી રાખવું જોઈએ. જે બાદ સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા જોઈએ કે ડ્રાયરથી હાથ સુકવવા જોઈએ.

3. ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો.

4. ઈન્કેક્ટેડ કે અજાણી વ્યક્તિના વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા બાદ સાબુથી સારી રીતે ધોઈ નાંખો.

5. બજારમાંથી ખરીદેલા કોઈપણ ખાદ્ય પદાર્થને કાચા ન ખાવ. માંસ કે લીલી શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ.

6. જો તમે શરદી, ખાંસી, તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો. આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો.

7. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રીતે પાલન કરો.