S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Parliament Budget Session 2026: બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. બીજા તબક્કાના પ્રથમ દિવસે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ આવશે.

Parliament Budget Session 2026: બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. બીજા તબક્કાના પ્રથમ દિવસે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ આવશે. બીજી તરફ, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર બંને ગૃહોમાં નિવેદન આપી રહ્યા છે. પ્રથમ દિવસની કાર્યવાહી માટે સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) નું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિરોધ પક્ષના ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરી રહેલી કોંગ્રેસ, બંને પક્ષોએ પોતાના સાંસદોને ત્રણ લાઇનનો વ્હિપ જાહેર કરીને લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે.
VIDEO | Delhi: EAM S. Jaishankar briefs the Rajya Sabha on the West Asia crisis.
He says, "Given the gravity of the situation, the Cabinet Committee of Security (CCS) met on March 1, under the chairmanship of the Prime Minister. It was briefed on the airstrikes in Iran and the… pic.twitter.com/jlw67x39Lw— Press Trust of India (@PTI_News) March 9, 2026
મિડલ ઈસ્ટ સંકટ પર વિદેશ મંત્રી એસ. જયશંકર રાજ્યસભામાં પોતાનું નિવેદન આપ્યું છે. મિડલ ઈસ્ટ સંકટ પર વિદેશ મંત્રીએ કહ્યું કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઈરાનના ટોચના નેતૃત્વના લોકોનો પણ સમાવેશ થાય છે. ભારતે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. 1 માર્ચના રોજ મળેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં ઈરાન પર થયેલા હુમલા અને ત્યાર બાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક અસરો પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને તમામ મંત્રાલયોને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. જયશંકરે કહ્યું કે આ ચાલુ સંઘર્ષ ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે ગલ્ફ દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને ઈરાનમાં પણ ઘણા ભારતીયો અભ્યાસ અને અન્ય કામો માટે હાજર છે.
જયશંકરે ગૃહમાં માહિતી આપી હતી કે ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વનું સમર્થક છે અને અમારું માનવું છે કે કોઈપણ સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા શોધવું જોઈએ. તેમણે કહ્યું કે ગલ્ફ રીજનમાં 1 કરોડ ભારતીયો રહે છે અને તેમની સુરક્ષા અંગે CCS ની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશ મંત્રીએ આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે ભારતીયોના સંપર્કમાં છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમે જાન્યુઆરીમાં જ અમારા નાગરિકોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જેટલી જલ્દી બને તેટલી વહેલી તકે સ્વદેશ પરત આવી જાઓ. અમારા દૂતાવાસે પણ એડવાઈઝરી જારી કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પ્રત્યે સતર્ક છે. સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે.
'ઈરાનના 3 જહાજ હિંદ મહાસાગરમાં હતા, અમે એકને આશરો આપ્યો'
વિદેશ મંત્રીએ ગૃહમાં કહ્યું કે ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને દૂતાવાસ તરફથી મદદ મળી છે. ઈરાનથી લોકોને આર્મેનિયાના માર્ગે બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતીયોની મદદ માટે પ્રતિબદ્ધ છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયા અને કતરના નેતૃત્વ સાથે વાત કરી છે. મેં ઈરાનના વિદેશ મંત્રી સાથે 28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ વાત કરી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાનના ત્રણ જહાજ હિંદ મહાસાગરમાં હતા. અમે ઈરાનની વિનંતી પર એક જહાજને ડોકિંગની પરમિશન આપી, આશરો આપ્યો. આ માટે ઈરાને આભાર પણ માન્યો છે. ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે અમે સતર્ક છીએ. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે ભારત શાંતિના સમર્થનમાં છે. અમે નાગરિકોની સુરક્ષાની પક્ષમાં છીએ.






















