દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. પરંતુ ટ્રેન લેટ થઈ જાય તો સૌથી મોટી સમસ્યા બની જાય છે. ક્યારેક ખરાબ હવામાનને કારણે, ક્યારેક પાટા પર ટેકનિકલ સમસ્યાઓને કારણે અથવા ક્યારેક સિગ્નલ ફેલ થવાને કારણે ટ્રેનો કલાકો સુધી મોડી પડે છે. ઘણા મુસાફરો ઉતાવળમાં પોતાનો પ્લાન બદલી નાખે છે અને ટિકિટ પણ રદ કરે છે.

શું તમે જાણો છો કે ટ્રેન મોડી પડે તો તમે સંપૂર્ણ અથવા આંશિક રિફંડ મેળવવાના હકદાર છો ? હા, ભારતીય રેલ્વેએ મુસાફરોના અધિકારોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ રિફંડ નિયમો સ્થાપિત કર્યા છે. ચાલો જાણીએ કે ટ્રેન કેટલી લેટ હોય તો  રિફંડ મેળવી શકો છે.

સંપૂર્ણ રિફંડ ક્યારે ઉપલબ્ધ છે ?

Continues below advertisement

Continues below advertisement

જો તમારી ટ્રેન તમારા બોર્ડિંગ સ્ટેશનથી ત્રણ કલાકથી વધુ મોડી હોય અને તમે તમારી ટિકિટ રદ કરો તો જ તમે સંપૂર્ણ રિફંડ મેળવી શકો છો. જો તમે પણ રિફંડ ઇચ્છતા હોય તો તમે આ સરળ ટિપ્સથી તે મેળવી શકો છો.

રિફંડ કેવી રીતે મેળવવું 

રેલ્વેએ આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પો પ્રદાન કર્યા છે.

ઓનલાઈન રિફંડ

IRCTC  વેબસાઇટ અથવા એપ પર જાઓ.તમારો PNR  નંબર દાખલ કરો અને ‘Request Refund’ વિકલ્પ પસંદ કરો.ટ્રેન વિલંબની વિગતો દાખલ કરો.જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.વિનંતી સબમિટ કર્યા પછી, તમારું રિફંડ 72 કલાકની અંદર તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ઓફલાઇન રિફંડ માટે 

નજીકના રેલ્વે સ્ટેશન પર જાઓ અને ટિકિટ કાઉન્ટર પર અરજી કરો.

મૂળ ટિકિટ અને વિલંબનો પુરાવો લાવો.

કાઉન્ટર સ્ટાફ સાથે વાત કરો અને ફોર્મ ભરો.

જો તમારી ટિકિટ રદ થાય તો તમને રિફંડ મળશે.

મુસાફરો માટે ટિપ્સ

  • હંમેશા તમારી ટિકિટની પ્રિન્ટ અથવા ડિજિટલ કોપી સાથે રાખો.
  • ટ્રેનના લાઇવ લોકેશન માટે સત્તાવાર રેલ્વે વેબસાઇટ અથવા એપ્લિકેશન તપાસો.
  • જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે છે, તો રિફંડ મેળવવાનો તમારો અધિકાર હંમેશા યાદ રાખો.
  • ઓનલાઇન રિફંડ માટે અરજી કરતી વખતે તમારી સાચી બેંક વિગતો દાખલ કરો.

જ્યારે તમારી ટ્રેન મોડી પડે છે, ત્યારે ફક્ત ચિંતા કરશો નહીં. એ જાણવું મહત્વપૂર્ણ છે કે રેલ્વે તમારા અધિકારોનું રક્ષણ કરે છે. સાચી માહિતી આપીને અને સમયસર અરજી કરીને, તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.