Amit Shah Dharmendra Pradhan Meeting: 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) પેપર લીકના મુદ્દા પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સતત માંગ કરી રહી હતી. CJP એ સોમવારે (20 જુલાઈ) સંસદ તરફ કૂચ કરી, જેના કારણે મોટો હંગામો થયો. આ ઉથલપાથલ વચ્ચે, એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે: ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા ગયા હતા. તેમની મુલાકાતનો એજન્ડા હજુ અસ્પષ્ટ છે.

Continues below advertisement

 

Continues below advertisement

પેપર લીકના મુદ્દાને લઈને ભૂખ હડતાળ પર રહેલા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે પણ સોમવારે કેટલીક શરતો સાથે પોતાની હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ધર્મેન્દ્ર પ્રધાન તેમના પદ પરથી રાજીનામું આપશે કે નહીં તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. નોંધનીય છે કે, CJP વિરોધીઓ સંસદ ભવનની ખૂબ નજીક પહોંચવામાં સફળ રહ્યા; ત્યારબાદ થયેલી અશાંતિ દરમિયાન, પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા.

અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ

કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા NEET પેપર લીક અને દેશમાં વધતી જતી બેરોજગારી સામે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. અભિજીત દિપકેએ 20 જુલાઈ, 2026ના રોજ સંસદ માર્ચથી શરૂ થતા અઢી દિવસ પછી પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. કોકરોચ જનતા પાર્ટીના માર્ચને ધ્યાનમાં રાખીને સંસદ ભવનના કેટલાક પ્રવેશદ્વાર બંધ કરવામાં આવ્યા છે. ફક્ત વિજય ચોક બાજુ સાંસદો માટે ગેટ ઓપન રખાયા છે.

આ પણ વાંચો...Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

સીજેપીના વિરોધીઓ સંસદ ભવનની નજીક પહોંચી ગયા છે. સીજેપીના વિરોધીઓ રેલ ભવન પહોંચી ગયા છે. સુરક્ષા કર્મચારીઓએ સંસદ ભવનના મુખ્ય દ્વારને બંધ કરી દીધો છે. સંસદ ભવનની અંદર વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ છોડ્યા છે. સંસદ માર્ચના આહવાન બાદ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન  આતિશી અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જંતર-મંતર પહોંચ્યા છે. કોકરોચ જનતા પાર્ટીએ તેમનો વીડિયો શેર કર્યો છે.

કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું હતું કે, "આશુતોષ રાંકા અને હું કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને મળવા જઈ રહ્યા છીએ. તેમણે દાવો કર્યો હતો કે સરકારે સવારે વાતચીત માટે તેમનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે અમારી માંગણીઓ સ્પષ્ટ છે. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા છે." જંતર-મંતર પર 23 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા AISAના ત્રણ વિદ્યાર્થીઓએ પણ પોતાની ભૂખ હડતાળનો અંત લાવ્યો છે. વિરોધ કરી રહેલી નેહાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે આ આંદોલને સમગ્ર વિપક્ષને એક કરવામાં અને દેશને રસ્તા પર લાવવામાં મોટી સફળતા મેળવી છે.