Maharashtra Cabinet Expansion :  મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ફડણવીસ સરકારના કેબિનેટ વિસ્તરણ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર હતા. આ દરમિયાન 39 મંત્રીઓએ શપથ લીધા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી ત્રણ અઠવાડિયા કરતાં વધુ સમય બાદ કરવામાં આવ્યું હતું. તેમના મતવિસ્તાર નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં ઘણા મંત્રીઓએ શપથ લીધા. મહારાષ્ટ્રમાં વધુમાં વધુ 43 મંત્રીઓ હોઈ શકે છે.

મહારાષ્ટ્રમાં કુલ 39 મંત્રીઓ

ફડણવીસ સરકારના કુલ 39 મંત્રીઓમાંથી ભાજપના 19 ધારાસભ્યો, શિવસેનાના 11 અને NCPના 9 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપના 16 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી અને 3 ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે શિવસેનાના નવ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અને બે રાજ્યમંત્રી છે. NCP ક્વોટામાંથી 8 કેબિનેટ મંત્રી અને એક રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. 

અહીં જુઓ મંત્રીઓની સંપૂર્ણ યાદી

મંત્રીનું નામપાર્ટી કેબિનેટ મંત્રી/ રાજ્યમંત્રી  
ચંદ્રશેખર બાવનકુલેભાજપ કેબિનેટ
રાધાકૃષ્ણ વિખે પાટીલભાજપ કેબિનેટ
હસન મુશ્રીફએનસીપીકેબિનેટ
ધનંજય મુંડેએનસીપીકેબિનેટ
ચંદ્રકાંત પાટીલભાજપ કેબિનેટ
ગિરિશ મહાજનભાજપકેબિનેટ
ગુલાબરાવ પાટીલશિવસેનાકેબિનેટ
ગણેશ નાઈકભાજપકેબિનેટ
મંગલ પ્રભાત લોઢાભાજપકેબિનેટ
દાદાજી ભુસેશિવસેના કેબિનેટ
સંજય રાઠોડ શિવસેનાકેબિનેટ
ઉદય સામંતશિવસેનાકેબિનેટ
જયકુમાર રાવલ ભાજપકેબિનેટ
પંકજા મુંડેભાજપકેબિનેટ
અતુલ સાવે ભાજપકેબિનેટ
અશોક ઉઈકે ભાજપકેબિનેટ
શંભુરાજે દેસાઈશિવસેનાકેબિનેટ
આશીષ સેલારભાજપકેબિનેટ
દત્તાત્રેય વિઠોબા ભરણે એનસીપીકેબિનેટ
અદિતી સુનિલ તટકરેએનસીપીકેબિનેટ
શિવેંદ્ર રાજે ભોસલેભાજપકેબિનેટ
માણિકરાવ કોકાટે એનસીપીકેબિનેટ
જયકુમાર ગોરેભાજપકેબિનેટ
નરહરી સીતારામ જિરવાલ એનસીપીકેબિનેટ
સંજય સાવકારે ભાજપકેબિનેટ
સંજય સિરસાટ શિવસેનાકેબિનેટ
પ્રતાપ સરનાઈકશિવસેનાકેબિનેટ
ભરત ગોગાવલેશિવસેનાકેબિનેટ
મકરંદ જાદવએનસીપીકેબિનેટ
નિતેશ રાણે ભાજપકેબિનેટ
આકાશ ફુંડકર ભાજપકેબિનેટ
બાબાસાહેબ પાટીલએનસીપીકેબિનેટ
પ્રકાશ આંબેડકર શિવસેનાકેબિનેટ
માધુરી મિસાલ ભાજપરાજ્યમંત્રી
આશીષ જાયસવાલ શિવસેનારાજ્યમંત્રી
ડૉ પંકજ ભોયર ભાજપરાજ્યમંત્રી
મેધના બોર્ડિકર સાકોરે ભાજપરાજ્યમંત્રી
ઈંદ્રનીલ નાઈક એનસીપીરાજ્યમંત્રી
યોગેશ કદમશિવસેના રાજ્યમંત્રી