Cow Urine: ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાએ દાવો કર્યો છે કે તાજા ગૌમૂત્રમાં સંભવિત હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે જેનું સેવન કરવામાં આવે તો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેમણે પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે કોઈપણ વ્યક્તિએ સીધું ગૌમૂત્ર પીવાનું ટાળવું જોઈએ જે તેમને બીમાર કરી શકે છે.


આ સંશોધન અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે. સંસ્થાના ભોજ રાજ સિંહની આગેવાની હેઠળ IVRI ખાતે પીએચડી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાય અને બળદના પેશાબમાં લગભગ 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે જેમાં Escherichia coli હોય છે જે પેટમાં ચેપનું કારણ બની શકે છેતેથી કોઈ પણ વ્યક્તિએ તેનો સીધો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.


આ વિદ્યાર્થીઓનો આ રિપોર્ટ ઓનલાઈન રિસર્ચ વેબસાઈટ રિસર્ચગેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગાયભેંસ અને મનુષ્યોમાંથી 73 પેશાબના નમૂનાઓના વિશ્લેષણ દર્શાવે છે કે ભેંસના પેશાબમાં એન્ટિબેક્ટેરિયલ ગતિવિધિ ગાય કરતાં ઘણી સારી હતી. 


ગૌમૂત્રની ભલામણ કરી શકાતી નથી


તેમણે કહ્યું કે અમે સ્થાનિક ડેરી ફાર્મમાંથી ત્રણ પ્રકારની ગાયો સાહિવાલથરપારકર અને વિંદાવાણી (ક્રોસ બ્રીડ) તેમજ ભેંસ અને માનવીઓના નમૂના એકત્ર કર્યા હતા. જૂન અને નવેમ્બર 2022ની વચ્ચે હાથ ધરવામાં આવેલા સંશોધનમાં નિષ્કર્ષ પર આવ્યો કે તંદુરસ્ત વ્યક્તિઓના પેશાબનો મોટો હિસ્સો સંભવિત રોગકારક બેક્ટેરિયા ધરાવે છે. તેમણે કહ્યુંજો કેઅમારા સંશોધનમાં જે મુખ્ય બાબત જાણવા મળી છે તે એ છે કે ગૌમૂત્રની ભલામણ કોઈ પણ સંજોગોમાં મનુષ્યો માટે કરી શકાતી નથી.


સંશોધનકર્તાએ એવો પણ દાવો કર્યો હતો કે ગૌમૂત્ર એન્ટીબેક્ટેરિયલ હોવાનું કહેવાય છે પરંતુ આ સાચું નથીજોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની ટિપ્પણી ગૌમૂત્ર માટે નથી.