Sonali Phogat Case:ભાજપ નેતા સોનાલી ફોગાટ મર્ડર કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગોવા પોલીસે હવે સોનાલી ફોગાટ હત્યા કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ મામલામાં સોનાલી ફોગાટની દીકરી યશોધરા ફોગાટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને રવિવારે પણ માંગ કરી હતી કે સોનાલી ફોગાટ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવે.






ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટની હત્યામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સોનાલી ફોગાટનું ગોવાના એક રિસોર્ટમાં પાર્ટી બાદ મોત થયું હતું. સોનાલી ફોગાટનો પરિવાર સતત આ મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો હતો. હરિયાણા સરકારે પણ સંબંધીઓની માંગને સમર્થન આપ્યું હતું.


ગોવા પોલીસ સમગ્ર કેસ સીબીઆઈને સોંપશે. આ મામલામાં સોનાલી ફોગાટની દીકરી યશોધરા ફોગાટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને રવિવારે પણ માંગ કરી હતી કે સોનાલી ફોગાટ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવે.


'અમને સરકાર પાસેથી કોઈ આશા નથી'


સોનાલી ફોગટની પુત્રી યશોધરા ફોગાટે હિસારની ખાપ પંચાયતમાં કહ્યું કે અમે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. અમને હવે સરકાર પાસેથી કોઈ આશા નથી. ઉલ્લેખનીય છે કે, રવિવારે હરિયાણાના હિસારમાં ખાપ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં યશોધરા ફોગાટે આ વાત કહી હતી. સોનાલી ફોગાટના મૃત્યુની સીબીઆઈ તપાસની માંગ કરવા ખાપ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાપ પંચાયતમાં સમગ્ર હરિયાણામાંથી ખાપના નેતાઓ હાજર રહ્યા હતા.


થોડા દિવસો પહેલા સોનાલી ફોગાટની દીકરીએ પીએમને એક પત્ર લખ્યો હતો. યશોધરાએ પત્રમાં લખ્યું છે કે, મારી માતાની હત્યાની સીબીઆઈ તપાસ થવી જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિત પરિવારે યશોધરા માટે પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે.