Gyanvapi Masjid Case Update: વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સાથે જોડાયેલા શૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીને મોટો આંચકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષના વાંધાને ફગાવી દીધો છે. હાઈકોર્ટના નિર્ણય બાદ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે જિલ્લા કોર્ટ વારાણસી શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે.

Continues below advertisement

આજે જસ્ટિસ જેજે મુનીરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો છે. અગાઉ, દલિલો પૂર્ણ થયા બાદ કોર્ટે 23 ડિસેમ્બર, 2022ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકાર્યો હતો.

શૃંગાર ગૌરી કેસમાં વારાણસી કોર્ટમાં રાખી સિંહ અને અન્ય 9 લોકો દ્વારા સિવિલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મસ્જિદની વ્યવસ્થા સમિતિએ આ કેસમાં પોતાનો વાંધો નકારવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં 12 સપ્ટેમ્બરે વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

Continues below advertisement

અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી, વારાણસીએ દાવાની જાળવણી સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991ની જોગવાઈઓ હેઠળ, કોર્ટને દાવો સાંભળવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી. કોર્ટે સમિતિની અરજીને ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.

અરજદાર વતી વરિષ્ઠ એડવોકેટ એસએફએ નકવી, ઝહીર અસગર, ફાતિમા અંજુમ તથા સામે પક્ષે એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુ જૈન, પ્રદીપ શર્મા, સૌરભ તિવારી, પ્રભાષ પાંડે, વિનીત સંકલ્પ, એડિશનલ એડવોકેટ જનરલ એમસી ચતુર્વેદી, ચીફ પરમેનન્ટ એડવોકેટ બિપિન પંથકના મુખ્ય સ્થાયી વકીલ હતા જેમણે દલીલ કરી હતી.

'આ નિર્ણય હિંદુઓ માટે નવી આશા લઈને આવ્યો'

બીજી તરફ જ્ઞાનવાપી મસ્જિદ એરેન્જમેન્ટ કમિટીની અરજી ફગાવી દેવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર આ મામલામાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક નિર્ણય છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી ધ્યાનમાં લેવા યોગ્ય નથી અને તેને ફગાવી દીધી. આ નિર્ણય દેશના તમામ હિંદુઓ માટે નવી આશા લઈને આવ્યો છે.

મહિલાઓની અરજી પર મુસ્લિમ પક્ષે આ વાત કહી હતી

મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઓર્ડર 7 નિયમ 11 હેઠળ આ અરજી સાંભળવા યોગ્ય નથી. મહિનાઓની સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજ એકે વિશ્વેશની કોર્ટે ગયા વર્ષે 12 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો.