અમદાવાદઃ રાજનીતિના ચાણક્યના ઉપનામથી રાજનીતિમાં પોતાની આગવી છાપ ધરાવતા હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી એવા અમિત શાહનો આજે જન્મ દિવસ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ, કાર્યકર્તાઓ દ્વારા અમિત શાહને જન્મ દિવસની શુભકામના પાઠવવામાં આવી છે.


અમિત શાહનો જન્મ 1964માં મુંબઈ ખાતે થયો હતો. તેમનું મુળ ગામ ગાંધીનગર જિલ્લાનું માણસા છે.  તેઓ ખૂબ જ નાની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયા હતા. તેઓ 1984-85 માં ABVP સાથે સંકળાયા હતા.  તેમની કાર્યક્ષમતા અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઘનીષ્ઠ સંબંધ સ્થાપિત કરવાની ક્ષમતા અને સંગઠનાત્મક સુઝબૂઝને કારણે પાર્ટીમાં તેમની એક અલગ ઓળખ સ્થાપિત કરી છે.  રામજન્મભૂમિ આંદોલન અને એક્તાયાત્રામાં લોકો મોટા પ્રમાણમાં એકત્રિત કરીને એકતાયાત્રા સફળ બનાવી હતી. 1987માં અમદાવાદની સરખેજ બેઠક પરથી (પેટા ચૂંટણીમાં) ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 1998, 2002 અને 2007 જીત્યા હતા.



2012માં નારણપુરાની સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. તેઓ નરેન્દ્રો મોદીના ખાસ સહયોગી તરીકે જાણિતા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હોય કે દેશના વડાપ્રધાન હરહંમેશ અમિત શાહ તેમની નજીક રહ્યાં છે. ગુજરાતમાં તેઓએ અલગ અલગ મંત્રી તરીકે અલગ અલગ ખાતા સંભાળ્યા હતા.



ચૂંટણી વખતે અમિતશાહનું ગણિત ભાગ્યે જ ખોટું પડતું હોય છે. તેઓ ગ્રાઉન્ડ ઝીરોથી ચૂંટણની તૈયારી કરવામાં માહિર છે. તેઓની રાજનૈતિક વ્યૂહરચનામાં મોટા મોટા રાજનીતિના ખેરખાંઓ માથું ખંજવાળતા રહી જાય છે. આમ તેમણે વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને અમિતશાહની સારી ચૂંટણી વ્યૂહરચનાના સંયોજનને પરિણામે ભાજપના અધ્યક્ષ તરીકેના કાર્યકાળના પ્રથમ વર્ષ દરમિયાન યોજાયેલી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં ચાર વિજય મેળવ્યો હતો.