Current Ticket Booking: આજે પણ ભારતમાં વધુ લોકો બસ કે વિમાન કરતાં ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આનું મુખ્ય કારણ સસ્તા ભાડા અને દેશના લગભગ દરેક ભાગ સાથે સારી કનેક્ટિવિટી છે. જો કે, તહેવારો અને રજાઓની મોસમ દરમિયાન સૌથી મોટી ચિંતા ટિકિટ કન્ફર્મેશન છે. ઘણીવાર, ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં રહે છે, જેના કારણે મુસાફરી અંગે અનિશ્ચિતતા રહે છે.

Continues below advertisement

ઘણા મુસાફરો માને છે કે ટ્રેન ચાર્ટ તૈયાર થયા પછી તેમને સીટ મળી શકતી નથી. જોકે, આ સાચું નથી. ચાર્ટ તૈયાર થયા પછી પણ સીટ બુક કરી શકાય છે. ભારતીય રેલ્વેની આ સુવિધાને કરંટ ટિકિટ બુકિંગ કહેવામાં આવે છે. જો ચાર્ટ તૈયાર થયા પછી ટ્રેનમાં ખાલી સીટો હોય તો તે તરત જ બુક કરી શકાય છે.

Continues below advertisement

કરંટ ટિકિટ કેવી રીતે બુક કરવી?

  • સૌપ્રથમ, IRCTC વેબસાઇટ અથવા એપમાં લોગ ઇન કરો.
  • તમારી ટ્રેન, સ્ટેશન અને મુસાફરીની તારીખ પસંદ કરો.
  • જો સીટ ઉપલબ્ધ હોય તો સ્ટેટસ "Current Availability " પ્રદર્શિત કરશે.
  • મુસાફરોની વિગતો દાખલ કરો અને ઓનલાઈન ચુકવણી કરો.

ટિકિટ તરત જ કન્ફર્મ થઈ જશે

જો તમને ઓનલાઈન સીટ ન દેખાય, તો તમે રેલ્વે સ્ટેશન રિઝર્વેશન કાઉન્ટર પર પણ પૂછપરછ કરી શકો છો. ક્યારેક, જો છેલ્લી ઘડીએ કોઈ સીટ ખાલી થઈ જાય તો તમે ત્યાં પણ કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો.

શું કરંટનું ટિકિટનું ભાડું વધારે છે?

ઘણા લોકોને આશ્ચર્ય થયું હશે કે શું કરંટ ટિકિટનું ભાડું નિયમિત ટિકિટ કરતાં વધારે છે? જવાબ ના છે. કરંટ ટિકિટનું ભાડું નિયમિત ટિકિટ જેટલું જ છે. જો કે, ઘણી ટ્રેનોમાં ડાયનેમિક ફેર હોય છે. આવી ટ્રેનોમાં, છેલ્લી ઘડીની ટિકિટ નિયમિત દિવસો કરતાં વધુ મોંઘી હોય છે. 

આ પણ વાંચો-Train Cancelled: રેલવેમાં આજથી 24 જુલાઇ સુધી આ ટ્રેન થશે રદ્દ, જાણો સંપૂર્ણ યાદી

ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા પણ તમે કન્ફર્મ ટિકિટ સાથે મુસાફરી કરી શકો છો? તમે કરંટ ટિકિટ બુકિંગ દ્વારા અંતિમ સમયે ટ્રેનમાં ખાલી સીટ પર બેસીને સરળતાથી મુસાફરી કરી શકો છો. આ રેલવેનો એક નિયમ છે કે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.