Pakisatani Politician Viral Video: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાની સાંસદ શેર અફઝલ ખાન મારવતનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક પત્રકારે તેમને પૂછ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો તેઓ શું કરશે. આના પર તેણે કહ્યું કે જો યુદ્ધ ફાટી નીકળશે તો હું ઇંગ્લેન્ડ ભાગી જઈશ. યૂઝર્સ તેમના નિવેદનની મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, "જ્યારે સાંસદો પોતે ભાગી જવાનું વિચારી રહ્યા હોય, ત્યારે સૈનિકોનું મનોબળ કેવી રીતે વધશે?"
વાયરલ વીડિયોના બીજા ભાગમાં પત્રકારે મારવતને પૂછ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવી રીતે સંયમ રાખવો જોઈએ. આના પર તેમણે કહ્યું કે મોદી મારા કાકીના દીકરા છે કે જે મારા કહેવાથી પાછળ હટી જશે. મારવત એક સમયે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના મહત્વપૂર્ણ સભ્ય હતા, પરંતુ સમય જતાં તેમણે પાર્ટીની ટીકા કરવાનું શરૂ કર્યું. આ નિવેદનોને કારણે, ઇમરાન ખાને તેમને પાર્ટીના પદો પરથી દૂર કર્યા. આ ઘટના પાકિસ્તાની રાજકારણમાં આંતરિક અસ્થિરતા અને દિશાહીનતા કેટલી હદે પ્રવર્તે છે તેનું પણ એક ઉદાહરણ છે.
ભારતે કડક પગલાં લીધાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. હુમલા પછી તરત જ ભારતીય ગુપ્તચર એજન્સીઓએ કહ્યું કે તેની પાછળ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોનો હાથ છે. આ હુમલા પછી, ભારતે ત્રણ મુખ્ય મોરચે પાકિસ્તાન પર પોતાની પકડ મજબૂત કરી. ભારતે ૧૯૬૦ની ઐતિહાસિક સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાનના જળ સંસાધનોને ગંભીર અસર પડી છે. ભારતે પાકિસ્તાનથી થતી તમામ પ્રકારની આયાત, ટપાલ, પાર્સલ અને શિપિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે કોઈ પણ પાકિસ્તાની જહાજ ભારતીય બંદરો પર આવી શકશે નહીં. ભારતે બધા ટૂંકા ગાળાના પાકિસ્તાની વિઝા રદ કર્યા છે અને તેમને દેશ છોડી દેવાનું કહ્યું છે.