Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 14માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે.

   


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7992 નવા કેસ નોંધાયા છે અને 393 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9265 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 93,277 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4836  કેસ નોંધાયા છે અને 340 સંક્રમિતોના મોત થયા છે.  


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


દેશમાં અત્યાર સુધીમાં 131,99, 92,482 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 76,36,569 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,50,672 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


ભારતમાં કોરોનાની સ્થિતિ




    • કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 82 હજાર 736

    • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 14 હજાર 331

    • એક્ટિવ કેસઃ 93 હજાર 277

    • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 75 હજાર 128



ભારતમાં ઓમિક્રૉનના 32 કેસ


મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 17 કેસો સામે આવી ચૂક્યા છે. જ્યારે ભારતમાંની વાત કરીએ તો 32 કેસ નવા વેરિએન્ટના મળી ચૂક્યા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, દિલ્હીમાં 1 અને કર્ણાટકમાં 2 કેસ મળ્યા છે. રાહતની વાત એ છે કે, રાજસ્થાનમાં ત મામ 9 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વળી કર્ણાટકમાંથી એક દર્દી દુબઇ ભાગી ગયો છે.