Corona Cases Update: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (12 ઓગસ્ટ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ સંક્રમિતના 16,561 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 18,053 લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને 1,23,535 સક્રિય કેસ નોંધાયા છે.


તે જ સમયે, ગઈકાલની તુલનામાં આજે પોઝિટિવ આવેલા લોકોની સંખ્યામાં લગભગ 200 દર્દીઓનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ગઈકાલે (11 ઓગસ્ટ) દેશમાં 16,299 નવા કેસ નોંધાયા હતા. તે પહેલા 9 ઓગસ્ટે દેશમાં સંક્રમિત લોકોના 12,751 કેસ હતા. 8 ઓગસ્ટના રોજ 16167 નવા કેસ, 7 ઓગસ્ટના રોજ 18,738 નવા કેસ, 6 ઓગસ્ટના રોજ 19,406 નવા કેસ, 4 ઓગસ્ટના રોજ 19,893 નવા કેસ અને 3 ઓગસ્ટના રોજ 17,135 નવા કેસ નોંધાયા છે.







ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ



  • 111 ઓગસ્ટે 16299 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 

  • 10 ઓગસ્ટે 16047 નવા કેસ નોંધાયા અને 54 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

  • 9 ઓગસ્ટે 12,751 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

  • 8 ઓગસ્ટે 16,167 નવા સે નોંધાયા અને 41 સંક્રમિતોના મોત થયા હતા.

  • 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.

  • 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.

  • 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.

  • 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.

  • 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  • 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.

  • 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.



દિલ્હીમાં કોરોના કેસ


રાજધાનીમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. નિષ્ણાતોના મતે, આ ઝડપથી ફેલાતા ચેપનું સૌથી મોટું કારણ સામાજિક અંતરના નિયમોનું પાલન ન કરવું છે. 11 ઓગસ્ટે દિલ્હીમાં કોરોના દર્દીઓના 2,726 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગના ડેટા પર નજર કરીએ તો ઓગસ્ટના પહેલા 10 દિવસમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવ દર્દીઓના 19,760 કેસ નોંધાયા છે. આ સિવાય કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે.


મહારાષ્ટ્રમાં કોરોના કેસ


તે જ સમયે, 11 ઓગસ્ટના રોજ, મહારાષ્ટ્રમાં કોવિડ સંક્રમિતના 1,877 નવા કેસ નોંધાયા છે. નવા આંકડા સાથે, રાજ્યમાં અત્યાર સુધીમાં કેસની સંખ્યા વધીને 80,66,243 થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ગઈકાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ સંક્રમણને કારણે વધુ પાંચ લોકોના મોત થયા હતા, ત્યારબાદ ચેપથી મૃત્યુઆંક વધીને 1,48,162 થઈ ગયો હતો.