નવી દિલ્લી : ભારત અને પાકિસ્તાન સરહદ પર વધેલા તણાવ તેમજ ચીન સાથેના વણસેલા સંબંધોને કારણે સરકાર 200 લડાકૂ વિમાનની ખરીદી કરવાની તૈયારીમાં છે. પરંતુ વિદેશા નિર્માતાઓ સામે સરકાર સાફ કહિ દિધુ છે કે વિમાન મેડ ઈન ઈંડિયા જ હોવા જોઈએ.


એરફોર્સ સુત્રોના અનુસાર સુરક્ષાદળના આધુનિકરણ અને લડાકૂ ક્ષમતામાં વિસ્તારમાં પ્રસ્તાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મેડ ઈન ઈંડિયાની શરતો સૌથી પહેલા રાખવામાં આવશે.ભારત સામે ન માત્ર પાકિસ્તાન પરંતુ ચીનનો પણ પડકાર છે. એવામાં મોદી સરકાર ડિફેંસ સેક્ટરમાં ખરીદી અને ઉત્પાદનને લઈને ઝડપથી નિર્ણયો કરવા માંગે છે.

ભારત હજી સુધી  વધારે લડાકૂ વિમાન સોવિયત સંધ રશિયાથી ગયા છે.પરંતુ હાલના દિવસોમાં મિગ વિમાન ધણા સમયથી દૂર્ધટનાનો શિકાર બન્યા છે. હાલ એરફોર્સના બેડાને એકદમ બદલવાની તૈયારી છે. 36 રોફેલ વિમાનો માટે થયેલી ડિલ આ દિશામાં એક મોટુ પગલુ છે. પરંતુ સરકાર આનાથી પણ આગળ નીકળી  સિંગલ ઈંજન વાળા 200 લડાકૂ વિમાનની ખરીદીની તૈયારીમાં છે. મોદી સરકારનું જોર મેક ઈન ઈંડિયા પર છે. ચીન અને પાકિસ્તાન સાથેના મુકાબલા માટે એરફોર્સને પૂરી તાકાત આપવા માટે સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે.