ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. રેલવેના તત્કાલ બુકિંગમાંકાળાબજાર અને એજન્ટ રાજનેડામવા માટે ઓટીપીસિસ્ટમ શરૂ કરાઈ છે. ઓનલાઈન રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બૂક કરાવતી વખતે મુસાફરોનામોબાઈલમાં એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે. આ પાસવર્ડ દાખલ કરાયા બાદ જ ટિકિટ જાહેર થશે. અમદાવાદ વિભાગની સાબરમતી-જમ્મૂ તાવી એક્સપ્રેસ, અસારવા-ઈન્દોરવીરભૂમિએક્સપ્રેસ અને અમદાવાદ-ગોરખપુરએક્સપ્રેસમાં આજથી આ વ્યવસ્થા અમલી બની છે. આ અગાઉ 5 ડિસેમ્બરથી રાજધાની, દૂરંતો, વંદે ભારત, શતાબ્દી જેવી પાંચ ટ્રેનમાં તત્કાલ બુકિંગમાંઓટીપી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આમ અમદાવાદ વિભાગનીકુલ આઠ ટ્રેનમાં હવે તત્કાલ બૂકિંગઓટીપી મારફતે જ થઈ શકશે.

વધારે સામાન પર ચૂકવવો પડશે ચાર્જ

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ નિર્ધારિત ફ્રી અલાઉન્સ મર્યાદાથી વધારે માલસામાન લઈ જવા પર હવે ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવેસંસદમાં કરી હતી. હાલમાં ટ્રેનના ડબ્બાની અંદર યાત્રીઓ પોતાની સાથે સામાન લઈ જવા માટે ક્લાસને આધારે મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.. સેકન્ડ ક્લાસમાં યાત્રા કરનાર યાત્રીઓ માટે 35

કિલો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે અને 70 કિલો સુધીનો સામાન ચાર્જ ચૂકવીને લઈ જઈ શકાય છે. સ્લીપર ક્લાસનાયાત્રીઓ માટે ફ્રી એલાઉન્સ 40 કિલો છે અને મહત્તમ 80 કિલો છે..એસીથ્રી ટાયર અથવા ચેર કારમાં યાત્રા કરનારા યાત્રીઓને 40 કિલોનું ફ્રી એલાઉન્સ મળે છે. જે મહત્તમ લીમીટ છે. ફર્સ્ટ ક્લાસ અને એસી ટુ ટાયરનાયાત્રીઓ માટે 50 કિલો સામાન મફત લઈ જવાની મંજૂરી છે અને મહત્તમ લીમીટ 100 કિલો છે. એસી ફર્સ્ટ ક્લાસના યાત્રી 70 કિલો સામાન મફતમાં લઈ જઈ શકે છે. જ્યારે 150 કિલો સુધી ચાર્જ આપીને લઈ જઈ શકાય છે.

વૈષ્ણવે કહ્યું હતું કે, "હાલમાં, મુસાફરોદ્ધારાકોચની અંદર કેટલો સામાન લઈ જઈ શકાય છે તેની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે." રેલવે મંત્રી દ્વારા તેમના લેખિત જવાબમાં શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સેકન્ડ ક્લાસનામુસાફરોને 35 કિલો સુધીનો સામાન મફતમાં અને 70 કિલો સુધીનો સામાન ફી આપીને લઈ જવાની મંજૂરી છે.