જયપુરઃ દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ ઘટ્યા છે. દિવાળી વેકેશન બાદ સ્કૂલો પણ ફરીથી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાના જયપુરમાં એક જ સ્કૂલમાં 11 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા જ હડકંપ મચી ગયો હતો અને ચાર દિવસ માટે હવે  સ્કૂલ બંધ કરી દેવાઈ છે.


જયપુરની જય શ્રી પેરીવાલ સ્કૂલમાં આ ઘટના બની છે.આ પહેલા સવાઈ માનસિંહ સ્કૂલમાં પણ બે વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમીત થયા હતા.સ્કૂલોમાં વિદ્યાર્થીઓને લાગી રહેલુ સંક્રમણ સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યુ છે. બીજી તરફ ત્રણ મહિના બાદ રાજસ્થાનમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.અહીંયા એક જ દિવસમાં 22 નવા કેસ નોંધાયા છે.જેમાંથી 11 કેસ માત્ર જયપુરના છે.


ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7579 નવા કેસ નોંધાયા છે અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12,202 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ 543 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 536 દિવસની નીચલી સપાટી 1,13,584 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3698 કેસ નોંધાયા છે અને 75 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.દેશમાં અત્યાર સુધીમાં 117,63,73,499 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 71,92,154 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,34,89,439 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 9,64,980 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.



  • કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 08 હજાર 413

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 46 હજાર 749

  • એક્ટિવ કેસઃ 1 લાખ 13 હજાર 584

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 147