Jalandhar By-election Results 2023: જાલંધર લોકસભા સીટની પેટાચૂંટણી માટે શનિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મત ગણતરીના પ્રારંભિક વલણો આમ આદમી પાર્ટી માટે ખુશીઓ લઈને આવ્યા છે. AAPના ઉમેદવાર સુશીલ કુમાર રિંકુ 15 હજારથી વધુ મતોથી આગળ છે. જલંધર લોકસભા સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસ 1999 થી સતત આ સીટ જીતી રહી છે. આવી સ્થિતિમાં, પ્રારંભિક વલણોમાં આમ આદમી પાર્ટીનું આગળ રહેવું કોંગ્રેસ માટે તણાવ પેદા કરી શકે છે.


અત્યાર સુધીમાં કોને કેટલા મત મળ્યા?
સવારે 10 વાગ્યા સુધી આમ આદમી પાર્ટીને 103203થી વધુ વોટ મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસ 866246થી વધુ મતો સાથે બીજા નંબર પર છે. આ સિવાય ભાજપના ઉમેદવાર ઈન્દર ઈકબાલ સિંહ અટવાલ 56150 મતો સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે અકાલી-બસપા ગઠબંધનના ઉમેદવારને અત્યાર સુધીમાં 50184 વોટ મળ્યા છે.


 



કોંગ્રેસ છેલ્લા 4 વખતથી જીતી રહી છે
જલંધર લોકસભા સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા 4 વખતથી કોંગ્રેસ અહીંથી જીતી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સામે ગઢ બચાવવાનો પડકાર છે. જો કે કોંગ્રેસને અહીં ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય નેતાઓનો કોઈ સહયોગ મળ્યો નથી. કોંગ્રેસ હાઈકમાન્ડ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હતી અને જલંધરમાં કોઈ મોટા નેતા પ્રચાર કરવા આવાયો નહોતા.


આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા દાવ પર
જલંધર લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીની પ્રતિષ્ઠા દાવ પર છે. પંજાબમાં સરકાર હોવા છતાં, AAPને સંગરુર સંસદીય પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, જલંધર લોકસભા સીટ હવે AAP માટે પરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે, જે ગયા વર્ષે સંગરુર સંસદીય પેટાચૂંટણીમાં હાર્યા બાદ કોંગ્રેસ પાસેથી આ સીટ છીનવી લેવાનો પ્રયાસ કરશે. આ સીટ જીતવા માટે તેણે પોતાના તમામ પ્રયાસો લગાવી દીધા છે. AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ અને સીએમ ભગવંત માન ઘણી રેલીઓ અને રોડ શો કરી ચુક્યા છે.


ભાજપે SAD ને પાછળ છોડી
બીજેપીના ઈન્દર ઈકબાલ સિંહ અટવાલ જલંધર લોકસભા સીટ પર અત્યાર સુધી કોઈ કમાલ કરી શક્યા નથી. મત ગણતરીના પ્રારંભિક વલણોમાં, તે ત્રીજા નંબર પર ચાલી રહ્યા છે અને તેણે અકાલી-બીએસપી ગઠબંધનને પાછળ છોડી દીધું છે.