શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં રાજોરીના નૌશેરા સેક્ટરમાં આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. આતંકીઓએ એલઓસી પાસે ભારતીય સેનાની પોસ્ટ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગમાં સેનાનો એક જુનિયર કમીશન્ડ ઓફિસર શહીદ થયો હતો. આ વિસ્તારની ઘેરાબંધી કરી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.


ઉલ્લેખનીય છે રવિવારે સેનાએ આતંકીઓના ચાર કેમ્પ ઉડાવી દીધાં હતા. જેના બાદ કાશ્મીરમાં આ પ્રથમ અથડામણ છે. સેનાના વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે ફાયરિંગમાં ઓછામાં ઓછા છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 20 ઓક્ટોબરે તંગધાર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરેલા સીઝફાયરના ઉલ્લંઘનમાં બે ભારતીય જવાન શહીદ થયા હતા.