જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શનિવાર (11 નવેમ્બર)ના રોજ દાલ લેકમાં અનેક હાઉસ બોટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે છ હાઉસબોટ બળીને રાખ થઈ ગઈ હતી. SDRFના જવાનોએ ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા છે. પોલીસનું કહેવું છે કે મૃતદેહો બાંગ્લાદેશના પ્રવાસીઓના છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે, પિયર નંબર 9 નજીક એક હાઉસબોટમાં આગ લાગી હતી. આગ કાબૂમાં આવી શકી ત્યાં સુધીમાં નજીકની ઘણી બોટ પણ તેની લપેટમાં આવી ગઈ હતી.


આગના કારણે કરોડોની સંપત્તિને નુકસાન થયું હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.