મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકડાઉનને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે. સામાન અને લોકો માટે આંતર-રાજ્ય યાત્રાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ પ્રાઈવેટ બસ અને મિનિબસ સેવાને ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેના માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર એસઓપી જાહેર કરશે.




ઉલ્લખનીય છે કે દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ છે. એવામાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.