Loudspeaker Row: અમરાવતીમાંથી અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેના ધારાસભ્ય પતિ રવિ રાણાને બુધવારે મુંબઇની સેશન્સ કોર્ટે શરતી જામીન આપી દીધા હતા. વળી, નવનીત રાણા આજે જેલમાંથી બહાર આવી ગઇ છે. નવનીત રાણા ભાયખલા જેલમાં છેલ્લા 11 દિવસથી બંધ હતી, અને આજે 12માં દિવસે તબીયત ખરાબ હોવાના કારણે સમય પહેલા મુક્ત કરવામાં આવી છે. ખરેખરમાં નિયમો અનુસાર, સાંજે પાંચ વાગે તેની મુક્તિ થવાની હતી, વળી, નવનીત રાણાના પતિની મુક્તિ પણ તલોજા જેલમાંથી પાંચ વાગ્યા સુધી થઇ શકે છે.  


નવનીત રાણાની મુક્તિની સાથે જ તેને સીઆરપીએફની સાથે જ મુંબઇ પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. મુક્ત થયા બાદ લીલાવતી હૉસ્પીટલ જશે, જ્યાં તેમને ચેકઅપ કરવામાં આવશે, આ પછી તે હૉસ્પીટલમાં ભરતી થઇ શકે છે યા તો ઘરે જઇ શકશે.


Navneet Rana Bail: નવનીત રાણાને આ 6 શરતો પર કોર્ટમાંથી મળ્યા જામીન, જાણો......
Navneet Rana Get Bail: સાંસદ નવનીત રાણા, તેના પતિ અને ધારાસભ્ય રવિ રાણાને સેશન્સ કોર્ટે કેટલીક શરતોની સાથે જામીન આપી દીધા હતા. સેશન્સ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો બતાવવામાં આવેલી શરતોનુ ઉલ્લંઘન થયુ તે જામીન રદ્દ થઇ જશે, આ પછી નવનીત રાણાને ફરીથી જેલમાં જ જવુ પડશે. નવનીત રાણા અને રવિના વકીલ રિઝવાન મર્ચેન્ટે છે. 


નવનીત રાણા અને તેના રવિ રાણાને આ 6 શરતો પર મળ્યા જામીન -


- રાણા દંપતિ મામલા સાથે જોડાયેલા કોઇપણ વાત મીડિયા સામે આવીને નથી કહી શકતા.
- સબૂતોની સાથે કોઇપણ જાતની છેડછાડ ના કરે.
- જે કેસમાં તેમની ધરપકડ થઇ છે એવુ કોઇકામ તે ફરીથી ના નથી કરી શકતા. 
- રાણા દંપતિને તપાસમાં સહયોગ આપવો પડશે.
- જો ઇન્વેસ્ટિગેશન ઓફિસર (IO) પુછપરછ માટે બોલાવે છે, તો જવુ પડશે. IO આ માટે 24 કલાક પહેલા નૉટિસ આપશે. 
- જામીન માટે 50-50 હજારનો બૉન્ડ ભરવો પડશે.


ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદની વચ્ચે સાંસદ નવનીત રાણાએ એલાન કર્યુ હતુ કે, તે સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર જઇને હનુમાન ચાલીસાનો પાઠ કરશે, આનો વિરોધ કરતા શિવસેના કાર્યકર્તાઓએ રાણા પરિવારના ઘરની બહાર હંગામો અને પ્રદર્શન કર્યુ હતુ, બાદમાં રાણા દંપતિની ધરપકડ કરવામાં આવી હતી, તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.