શોધખોળ કરો

Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા

કલ્યાણ ડોમ્બિવલીમાં નવો વળાંક: શિંદે સેના અને મનસેના નગરસેવકો એકસાથે જોવા મળતા ગઠબંધનની અટકળો તેજ; મેયર પદ માટે શિંદે જૂથે ભાજપને બદલે 'મનસે' પર ભરોસો મુક્યો?

Maharashtra Politics News: મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Politics) માં ફરી એકવાર મોટો ભૂકંપ આવવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રની મહત્વની ગણાતી કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) ની ચૂંટણી બાદ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) એ પોતાના જૂના સાથી ભાજપ (BJP) અને હરીફ ઉદ્ધવ ઠાકરે જૂથને સાઈડલાઈન કરીને રાજ ઠાકરે (Raj Thackeray) ની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે હાથ મિલાવવાની તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે.

શું છે આખો મામલો? 

સૂત્રોના જણાવ્યા અનુસાર, કલ્યાણ ડોમ્બિવલીમાં મેયર બનાવવા માટે શિંદે સેના અને મનસે વચ્ચે અંદરખાને મોટી 'ડીલ' થઈ છે. ભલે બંને પક્ષોએ સત્તાવાર રીતે ગઠબંધન (Alliance) ની જાહેરાત કરી નથી, પરંતુ બુધવાર, 21 January ના રોજ જે દ્રશ્યો સર્જાયા તે ઘણું કહી જાય છે. કોંકણ ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં જૂથ નોંધણી માટે એકનાથ શિંદે જૂથના 53 નગરસેવકો અને મનસેના 5 નગરસેવકો એકસાથે પહોંચ્યા હતા. રાજકીય પંડિતો આ ઘટનાને માત્ર સંયોગ નહીં પરંતુ સત્તા માટેની સમજૂતી ગણાવી રહ્યા છે.

'મેજિક ફિગર'નું ગણિત અને ભાજપની બાદબાકી 

કલ્યાણ ડોમ્બિવલીમાં મેયર પદ માટે 62 નગરસેવકોના સમર્થનની જરૂર છે. હાલના આંકડા જોઈએ તો:

શિંદે સેના: 53 નગરસેવકો

ભાજપ: 50 નગરસેવકો

મનસે: 5 નગરસેવકો (વત્તા 2 અન્ય શક્યતા)

અત્યાર સુધી એવું મનાતું હતું કે શિંદે સેના ભાજપ સાથે મળીને સત્તા સ્થાપશે. પરંતુ નવા સમીકરણો મુજબ, શિંદે જૂથ ભાજપને બદલે મનસે સાથે જઈ રહ્યું છે. સૂત્રોનો દાવો છે કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના 2 નગરસેવકોને પણ તોડવાની તૈયારી છે. આ ઉપરાંત, મનસેમાં પાછા ફરેલા સભ્યોને ગણતા મનસેનું સંખ્યાબળ 7 સુધી પહોંચી શકે છે. આમ, 53 (શિંદે) + 7 (મનસે) + 2 (અન્ય) મળીને 62 નો જાદુઈ આંકડો પાર કરી શકાય છે.

વાઈરલ ફોટો અને શ્રીકાંત શિંદેનું નિવેદન 

કમિશનર ઓફિસમાં શિંદે સેના અને મનસેના નેતાઓ શ્રીકાંત શિંદે, નરેશ મ્હસ્કે અને રાજુ પાટીલ વચ્ચેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે સાંસદ શ્રીકાંત શિંદેએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, "મનસે અમને ટેકો આપી રહી છે. વિકાસના કામમાં જે પણ અમારી સાથે આવવા માંગશે, અમે તેમને સાથે રાખીશું." આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રમાં હવે 'શિંદે-રાજ' યુતિનું નવું રાજકીય પ્રકરણ શરૂ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને નિર્ણય, મેટ્રો મધ્યરાત્રિ સુધી દોડશે, જુઓ ટાઇમ ટેબલ
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
રશિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ પર અટેક, કોલેજની હોસ્ટેલમાં ઘૂસીને ચાકુથી કર્યો હુમલો
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
PM Modi Malaysia Visit: PM મોદીએ મલેશિયામાં કરી એવી વાત કે પાકિસ્તાનની વધશે ચિંતા
PM Modi Malaysia Visit: PM મોદીએ મલેશિયામાં કરી એવી વાત કે પાકિસ્તાનની વધશે ચિંતા
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
Embed widget