દેશમાં 78મા સ્વતંત્રતા દિવસ (Independence Day)નો ઉત્સાહ છે. આ દરમિયાન આઝાદીના પર્વ પર મિઝોરમ સરકાર (Mizoram Govt)એ એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી લાલદુહોમા (CM Lalduhoma)એ ગુરુવારે કહ્યું કે રાજ્ય સરકાર યોગ્ય લોકોને નાણાકીય વૃદ્ધિ અને જીવનધોરણમાં સુધારો લાવવાના હેતુથી 50 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન (Interest Free Loan) આપવા માટે યોજના શરૂ કરશે.


78મા સ્વતંત્રતા દિવસના અવસર પર ત્યાં હાજર લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રી (Mizoram CM) લાલદુહોમાએ કહ્યું કે અમારી સરકાર સમાવેશી શાસન ઉપરાંત રાજ્યની વૃદ્ધિ, સરકારી પ્રક્રિયાઓમાં વધુને વધુ જવાબદારી અને પારદર્શિતા સાથે જ સામાન્ય સેવાઓને વધુ સારી રીતે પહોંચાડવાના લક્ષ્ય પર દૃઢ છે. ગયા વર્ષે ડિસેમ્બર 2023માં સત્તાની ખુરશી પર બેસ્યા પછી ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) સરકારે ઘણા બદલાવો પર પગલાં લીધા છે.


પીટીઆઈ અનુસાર, મુખ્યમંત્રી લાલદુહોમાએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરકાર રાજ્યના વિકાસ માટે મોટા પ્રમાણમાં પ્રયાસો કરી રહી છે અને તેની શ્રેણીમાં એક મોટું પગલું ઉઠાવતા લોન સ્કીમ પણ શરૂ કરવા જઈ રહી છે. આ સ્કીમ દ્વારા સરકાર આર્થિક વિકાસ માટે પગલાં લેવા માગતા યોગ્ય લોકોની મદદ કરવા માટે ગેરેન્ટર તરીકે કામ કરશે.


સીએમએ કહ્યું કે મિઝોરમ સરકાર ગેરંટી અધિનિયમ, 2011માં સંશોધનનો પ્રસ્તાવ છે, જેથી પાત્ર લોકોને 50 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે અને તેમાં સરકાર ગેરંટી આપવાની સાથે જ વ્યાજ પણ ભરશે.


સ્વતંત્રતા દિવસ સમારોહને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ વ્યાજ વગરની લોન સ્કીમની શરૂઆત કરવા અંગે માહિતી આપવાની સાથે જ અન્ય ઘણી મોટી જાહેરાતો પણ કરી. તેમાં તેમણે કહ્યું કે સરકાર જલદી જ યુનિવર્સલ હેલ્થ કેર સ્કીમ (Universal Health Care Scheme)ની શરૂઆત કરવા અંગે પણ વાત કરી.


તેમણે કહ્યું કે નવી અને વ્યાપક આરોગ્ય સેવા યોજનામાં સામાન્ય જનતાની સાથે જ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પણ સામેલ હશે. લાલદુહોમાએ રાજ્યની વૃદ્ધિ માટે લેવાયેલા પગલાંનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની સરકારે રાજ્યની અંદર અને બહારથી રોકાણકારોને આકર્ષિત કરવા માટે ફેબ્રુઆરીમાં મિઝોરમ Investment Policy 2024 શરૂ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર કૃષિ કે બાગાયતી ઉત્પાદનોની ખરીદી, ફૂડ પ્રોસેસિંગ, કૃષિ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે જ યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.


આ પણ વાંચોઃ બાંગ્લાદેશ છોડી દો અથવા જીવ બચાવવા પૈસા ભરો', એન્જિનિયરિંગ વિદ્યાર્થીનો દાવો - હિન્દુઓ પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે