Monsoon News: દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 થી 6 દિવસ વહેલું દસ્તક આપી શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધી પહોંચે છે, પરંતુ આ વખતે 25 થી 27 મે વચ્ચે કેરળ પહોંચવાની શક્યતા છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક  સિસ્ટમ વિકસિત થઈ છે, જે આગામી 48 કલાકમાં વધુ મજબૂત બની શકે છે. તેના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદમાં વધારો થશે.

હવામાન વિભાગ અનુસાર, શ્રીલંકાના કિનારા નજીક બનેલું નીચા દબાણનું ક્ષેત્ર હવે ઉત્તર દિશામાં આગળ વધી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, આ સિસ્ટમ આગળ જઈ બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ આગળ વધી શકે છે. તેની સાથે જ ભૂમધ્ય રેખા પારથી આવતી ભેજયુક્ત પવનો વધુ મજબૂત બનશે. દક્ષિણ-પશ્ચિમ પવનો અંડમાન-નિકોબાર દ્વીપસમૂહના મોટા ભાગને અસર કરશે.

Continues below advertisement
Continues below advertisement

આ પણ વાંચો:Gujarat Monsoon: ગુજરાતમાં આ તારીખે બેસી જશે ચોમાસું, હવામાન વિભાગે કરી આગાહી

હવામાનના આ સંકેતો દર્શાવે છે કે, આશરે 16 મે આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી, દક્ષિણ અંડમાન સમુદ્ર અને અંડમાન-નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે.

સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 20 મે આસપાસ દક્ષિણ અંડમાન સમુદ્રમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ 22 મે સુધી પોર્ટ બ્લેર અને ઉત્તર અંડમાન સમુદ્ર સુધી પહોંચી જાય છે. ત્યારપછી ચોમાસાને કેરળ પહોંચવામાં લગભગ 10 થી 12 દિવસ લાગે છે અને તેનો સામાન્ય આગમન દિવસ 1 જૂન માનવામાં આવે છે. . પરંતુ આ વખતે ચોમાસું નિર્ધારિત સમય કરતાં લગભગ ચાર દિવસ પહેલાં અંડમાન સમુદ્ર સુધી પહોંચવાની શક્યતા છે. આ આધારે તે 25 થી 27 મે વચ્ચે કેરળના કિનારે પહોંચી શકે છે.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 15 જૂનની આસપાસ થાય તેવું અનુમાન સેવાઇ રહ્યું છે. 

ગયા વર્ષે ચોમાસું 13 મેના રોજ દક્ષિણ અંડમાન સમુદ્રમાં પહોંચી ગયું હતું અને 24 મે સુધી કેરળમાં પ્રવેશી ગયું હતું. એટલે કે બંને સ્થળોએ ચોમાસાનું આગમન સામાન્ય સમય કરતાં લગભગ એક અઠવાડિયું વહેલું થયું હતું.       

ભારતમાં ચોમાસાની પ્રકૃતિ ઝડપથી બદલાતી દેખાય છે. ક્યારેક વરસાદ નિર્ધારિત સમય કરતાં મોડા પડે છે, જ્યારે અન્ય સમયે, થોડા કલાકોમાં ભારે વરસાદ પડે છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. વૈજ્ઞાનિકો અને હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આબોહવા પરિવર્તન, સમુદ્રના તાપમાનમાં વધઘટ અને વૈશ્વિક હવામાન ઘટનાઓ પરંપરાગત ચોમાસા ચક્રને અસ્થિર બનાવી રહી છે. આ અસર કૃષિ, પાણી વ્યવસ્થાપન, વીજ ઉત્પાદન અને શહેરી વિકાસ પર સ્પષ્ટપણે દેખાય છે. ભારતીય હવામાન વિભાગે તેની   આગાહીમાં જણાવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના ભાગો સુધી પહોંચી શકે છે. જોકે, વૈજ્ઞાનિકો માને છે કે લાંબા ગાળે ચોમાસાનો સમય અને તીવ્રતા બંને વધુ અનિશ્ચિત બની રહ્યા છે.