Padma Awards 2023: ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ સહિત છ લોકોને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. પરંતુ મૈનપુરીના સપા સાંસદ ડિમ્પલ યાદવ નેતાજીને પદ્મ વિભૂષણ એવોર્ડ મળવાથી ખુશ નથી. હવે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાની માંગણી મૂકી છે.


ગણતંત્ર દિવસ પર મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે સૈફઈમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન, નેતાજીને પદ્મ વિભૂષણ મળવા પર પ્રતિક્રિયા આપતા તેમણે સરકાર પાસે નેતાજીને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે નેતાજીને ભારત રત્ન મળવો જોઈએ. હું સરકારને વિનંતી કરું છું કે નેતાજીને ભારત રત્ન મળવો જોઈએ.


જ્યારે નેતાજીની નાની પુત્રવધૂ અપર્ણા યાદવે પદ્મ વિભૂષણ મળવા અંગે વડાપ્રધાન અને કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યુ હતું કે દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, આદરણીય પિતા મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવાના વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના આ નિર્ણયનું હું સ્વાગત કરું છું.


મુલાયમ સિંહ યાદવની સાથે ડૉ. દિલીપ મહાલનાબિસ અને પ્રખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે આ વર્ષે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન માટે કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી.


રાકેશ ઝુનઝુનવાલા (મરણોત્તર), અભિનેત્રી રવિના ટંડન, મણિપુર બીજેપી અધ્યક્ષ ટી ચૌબા સિંહ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયેલા 91 લોકોમાં સામેલ છે. આ સન્માન રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક સમારંભોમાં આપવામાં આવે છે જે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ અથવા એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. રાષ્ટ્રપતિએ 2023 માટે 106 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે.


74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે 26 લોકોને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે  ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને મેડિસિન (બાળ ચિકિત્સા) ક્ષેત્રે પદ્મ વિભૂષણ (મરણોત્તર) પ્રાપ્ત થશે. દિલીપ મહાલનોબિસને આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરશે.


પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ડૉ. દિલીપ મહાલનોબિસને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. તેમને આ સન્માન ORSની શોધ માટે આપવામાં આવ્યું હતું. રતન ચંદ્રકરને પદ્મશ્રી આપવામાં આવ્યો છે.  રતન ચંદ્રાકરને આંદામાનના જારાવા જનજાતિમાં ઓરી માટે વધુ સારી કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. હીરા બાઈ લોબીને ગુજરાતમાં સિદ્ધી આદિવાસીઓના બાળકોના શિક્ષણ પરના તેમના કાર્ય માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. મુનીશ્વર ચંદર દાવર, યુદ્ધ પીઢ અને જબલપુરના ડૉક્ટર છેલ્લા 50 વર્ષથી વંચિતોની સારવાર કરી રહ્યા છે, જેમને ચિકિત્સા (પોષણક્ષમ આરોગ્ય સંભાળ)ના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે