Census 2027: વસ્તી ગણતરી 2027 ને લઈને કેન્દ્ર સરકારે બીજા તબક્કા માટે 40 પ્રશ્નો નક્કી કર્યા છે. આ દરમિયાન લોકો પાસેથી તેમની અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), જાતિ અને કોવિડ વેક્સિન સાથે જોડાયેલી માહિતી પણ લેવામાં આવશે. આ 1931 પછીની પ્રથમ વ્યાપક જાતિ ગણતરી હશે. ખાસ વાત એ છે કે વસ્તી ગણતરી 2027 ભારતની પ્રથમ પૂરી રીતે ડિજિટલ વસ્તી ગણતરી પણ હશે.

Continues below advertisement

 

વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે 40 પ્રશ્નો

કેન્દ્ર સરકારે બીજા તબક્કાની વસ્તી ગણતરી માટે 40 પ્રશ્નોને અધિસૂચિત કર્યા છે. તેમાં લોકો પાસેથી તેમની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને જાતિથી જોડાયેલી માહિતી માંગવામાં આવશે.

Continues below advertisement

આ પણ વાંચો...Independence Day 2026 :શું તમે જાણો છો, અંગ્રજો સામે પ્રથમ સ્વતંત્રતાનું આંદોલન ક્યારે અને કયાંથી શરૂ થયું હતું?

વસ્તી ગણતરી 2027 માં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો

વ્યક્તિનું નામ, પરિવારના વડા સાથે સંબંધ, લિંગ, જન્મતારીખ અને પૂર્ણ થયેલી ઉંમર, વર્તમાન વૈવાહિક સ્થિતિ, લગ્ન સમયે ઉંમર, પતિ અથવા પત્નીનું નામ, જાહેર કરેલી રાષ્ટ્રીયતા, ધર્મ, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અથવા જાતિ, પિતા સંબંધિત માહિતી, માતા સંબંધિત માહિતી, દિવ્યાંગતા, માતૃભાષા અને અન્ય જાણતી ભાષાઓ, સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ, શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસની વર્તમાન સ્થિતિ, પ્રાપ્ત કરેલ સર્વોચ્ચ શૈક્ષણિક સ્તર અને વિષય/સ્ટ્રીમ, છેલ્લા 1 વર્ષ દરમિયાન કોઈ કામ કર્યું કે નહીં, આર્થિક પ્રવૃત્તિની શ્રેણી, વ્યવસાય, ઉદ્યોગ, વેપાર અથવા સેવાનો પ્રકાર, કામદારની શ્રેણી, બિન-આર્થિક પ્રવૃત્તિ- સીમાંત, અર્ધ-સીમાંત અને બિન-કામદાર માટે, કામની શોધ અથવા કામ માટે ઉપલબ્ધતા- સીમાંત, અર્ધ-સીમાંત અને બિન-કામદાર માટે, કામના સ્થળ સુધી આવવા-જવાની વિગત, જન્મ સ્થળ, અગાઉનું રહેઠાણ સ્થળ, સ્થળાંતરનું કારણ, છેલ્લી વાર સ્થળાંતર કર્યા પછી આ ગામ/શહેરમાં રહેવાનો સમયગાળો, કાયમી રહેઠાણનું સરનામું, વર્તમાનમાં જીવિત બાળકોની સંખ્યા- વર્તમાનમાં પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ અને અલગ રહેતી મહિલાઓ માટે, અત્યાર સુધી જીવિત જન્મેલા બાળકોની સંખ્યા- વર્તમાનમાં પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ અને અલગ રહેતી મહિલાઓ માટે, છેલ્લા 1 વર્ષમાં જીવિત જન્મેલા બાળકોની સંખ્યા- વર્તમાનમાં પરિણીત મહિલાઓ માટે, કોવિડ-19 રસીકરણનું સ્થળ, કુલ બેંક ખાતાઓની સંખ્યા, મોબાઈલ નંબર, જો ઉપલબ્ધ હોય, [Aadhaar Redacted] નંબર, જો ઉપલબ્ધ હોય, મતદાતા ઓળખપત્ર નંબર, જો ઉપલબ્ધ હોય, પાસપોર્ટ નંબર, જો ભારતીય પાસપોર્ટ ધારક હોય, ડ્રાઇવિંગ લાયસન્સ ઉપલબ્ધ છે કે નહીં.

પહેલા તબક્કામાં નક્કી કરવામાં આવ્યા હતા 33 પ્રશ્નો

આ પહેલાં જાન્યુઆરીમાં ભારતના રજિસ્ટ્રાર જનરલ (RGI) એ વસ્તી ગણતરી 2027 ના પહેલા તબક્કા માટે 33 પ્રશ્નો અધિસૂચિત કર્યા હતા. આ તબક્કો મકાન યાદીકરણ અને આવાસ સંબંધિત માહિતી એકઠી કરવા માટે હતો. પહેલા તબક્કાની પ્રશ્નાવલીમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે પરિવારના વડા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા ‘અન્ય’ શ્રેણીથી સંબંધિત છે કે નહીં.

કોવિડ રસીકરણ સાથે જોડાયેલી માહિતી પણ માંગવામાં આવશે

માહિતી મુજબ, ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલની કચેરીએ વસ્તી ગણતરી 2027 માટે 'હાઉસહોલ્ડ શિડ્યુલ' (પરિવાર સંબંધિત માહિતી) ની પ્રશ્નાવલી જાહેર કરી છે. તેમાં જાતિ સંબંધિત માહિતી (SC/ST/જાતિ) શામેલ કરવામાં આવશે. પ્રશ્નોની યાદીમાં કોવિડ રસીકરણની માહિતી પણ શામેલ છે.

ફેબ્રુઆરી 2027 માં થશે વસ્તી ગણતરી

વસ્તી ગણતરીનો બીજો તબક્કો એટલે કે વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027 માં પ્રસ્તાવિત છે. આ તબક્કામાં લોકો પાસેથી વસ્તી વિષયક, સામાજિક-આર્થિક, શૈક્ષણિક, સ્થળાંતર, પ્રજનન ક્ષમતા અને અન્ય જરૂરી માહિતી એકઠી કરવામાં આવશે. આ જ તબક્કામાં જાતિ ગણતરી પણ કરવામાં આવશે. આ રીતે વસ્તી ગણતરી 2027 માં પહેલીવાર વ્યાપક સ્તરે જાતિ સંબંધિત માહિતી પણ નોંધવામાં આવશે.