શોધખોળ કરો

સિંધુ જળ સંધિ મુદ્દે વિશ્વ બેંકે હાથ ખેંખેરી નાંખ્યાઃ પાકિસ્તાનને ઝટકો આપતા કહ્યું - 'અમે કંઈ ન....’

Operation Sindoor update: પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતા પાકિસ્તાને વિશ્વ બેંકને મધ્યસ્થી તરીકે અપીલ કરી, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ સ્પષ્ટતા કરી.

Indus Water Treaty 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને ચાલી રહેલા વિવાદમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઝટકો લાગ્યો છે. ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી, જેના પર પાકિસ્તાને મધ્યસ્થી સંસ્થા વિશ્વ બેંક (World Bank) ને અપીલ કરી હતી. જોકે, વિશ્વ બેંકે આ મામલે પાકિસ્તાનને મદદ કરવાથી ઇનકાર કરી દીધો છે.

શુક્રવારે (૯ મે, ૨૦૨૫) વિશ્વ બેંકે સિંધુ જળ સંધિના મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, જેનાથી પાકિસ્તાનના પ્રયાસોને મોટો ફટકો પડ્યો. વિશ્વ બેંકે જણાવ્યું કે આ સંગઠન સિંધુ જળ સંધિમાં ફક્ત મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે અને સંધિના સ્થગિત થવા જેવા મામલે કંઈ કરી શકતું નથી.

વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ આ અંગે કહ્યું, "અમારી ભૂમિકા ફક્ત મધ્યસ્થીની છે. વિશ્વ બેંક આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશે તે અંગે મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ આ બધું બકવાસ છે. વિશ્વ બેંકની ભૂમિકા ફક્ત મધ્યસ્થીની છે." આ કહીને તેમણે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાના પ્રયાસો પર પાણી ફેરવી દીધું.

પાકિસ્તાનનો આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાનો પ્રયાસ નિષ્ફળ:

ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને વિશ્વ બેંકના આ વલણથી મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અકીલ મલિકે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ ઓછામાં ઓછા ત્રણ અલગ અલગ કાનૂની વિકલ્પોની યોજના બનાવી રહ્યું છે, જેમાં સંધિની મધ્યસ્થી સંસ્થા વિશ્વ બેંક સમક્ષ આ મુદ્દો ઉઠાવવાનો સમાવેશ થાય છે. પરંતુ વિશ્વ બેંકના પ્રમુખના નિવેદનથી સ્પષ્ટ છે કે તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.

સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદની પરિસ્થિતિ:

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. આ સંધિ સ્થગિત થયા પછી, ભારત હવે પાકિસ્તાનને કહેવા માટે બંધાયેલું નથી કે તે ક્યારે નદીઓનું પાણી છોડશે અને કયા સમયે તેને બંધ કરશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે "પાણીનો મુદ્દો મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે (સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરીને)... 'ભારતનો હક છે તે પાણી ભારતના પક્ષમાં વહેશે."

સિંધુ સંધિ સ્થગિત થયા બાદ પરિસ્થિતિમાં આવેલા ફેરફારના સંકેત રૂપે, ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાંથી કેટલીક તસવીરો સામે આવી, જેમાં ચિનાબ નદી પરના સલાલ ડેમના ત્રણ દરવાજા ખુલ્લા જોવા મળ્યા. આ બંધ અગાઉ કડક નિયંત્રણ હેઠળ હતો કારણ કે ભારત પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને નિયંત્રિત કરતું હતું, પરંતુ સંધિ સ્થગિત થયા બાદ ભારતે પોતાના હકનું પાણી સંપૂર્ણપણે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: આજે મેષ અને કન્યા રાશિને મળશે ખુશખબરી! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: આજે મેષ અને કન્યા રાશિને મળશે ખુશખબરી! જાણો આજનું રાશિફળ
લોકોની સાયબર સિક્યુરિટી જોખમમાં! 2025 ના ઇન્ટરનેટના સૌથી સામાન્ય પાસવર્ડ્સ થયા લીક ​​
લોકોની સાયબર સિક્યુરિટી જોખમમાં! 2025 ના ઇન્ટરનેટના સૌથી સામાન્ય પાસવર્ડ્સ થયા લીક ​​
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-વેડિંગ ફોટોશૂટ, સંસ્કૃતિનું પતન ?
Hun To Bolish : હું તો બોલીશ : ગીરના જંગલમાં 'વહીવટ રાજ'?
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં 'અધિકારી રાજ'?
US Visa News: ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓને નહીં મળે અમેરિકાના વિઝા, જુઓ અહેવાલ
Board Exam Date 2026 GSEB : ધોરણ 10 અને 12ની પરીક્ષાનો જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: આજે મેષ અને કન્યા રાશિને મળશે ખુશખબરી! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: આજે મેષ અને કન્યા રાશિને મળશે ખુશખબરી! જાણો આજનું રાશિફળ
લોકોની સાયબર સિક્યુરિટી જોખમમાં! 2025 ના ઇન્ટરનેટના સૌથી સામાન્ય પાસવર્ડ્સ થયા લીક ​​
લોકોની સાયબર સિક્યુરિટી જોખમમાં! 2025 ના ઇન્ટરનેટના સૌથી સામાન્ય પાસવર્ડ્સ થયા લીક ​​
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
દિલ્હી બાદ હવે કાઠમાંડુ એરપોર્ટ પર ટેકનિકલ સમસ્યા, તમામ ફ્લાઇટ સ્થગિત
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
ડેનમાર્કમાં 100000 ની કમાણી કરો તો ભારતમાં કેટલા રૂપિયા થાય, જાણો ત્યાનું ચલણ કેટલું મજબૂત ?
ડેનમાર્કમાં 100000 ની કમાણી કરો તો ભારતમાં કેટલા રૂપિયા થાય, જાણો ત્યાનું ચલણ કેટલું મજબૂત ?
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી20 વરસાદમાં ધોવાઇ, સિરીઝ પર ટીમ ઈન્ડિયાએ 2.1 થી જમાવ્યો કબજો
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
GUJCET 2026ની પરીક્ષા 29 માર્ચે યોજાશે, જાણો અન્ય મહત્વની જાણકારી
Embed widget