નવી દિલ્હી: સંસદના મૉનસુન સત્ર જુલાઈના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની સંભાવના છે જે ઓગસ્ટ મહિનાના મધ્ય સુધી ચાલશે. સત્રનો કાર્યક્રમ નક્કી કરવા માટે કેબિનેટની સંસદીય સમિતિ 29 જૂને બેઠક મળશે.


સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સત્ર 18 જુલાઈએ શરૂ થવાની આશા છે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળનાર કેબિનેટની સંસદીય મામલોની સમિતિ 29 જૂને મળનાર બેઠકમાં એના વિશે છેલ્લો નિર્ણય કરશે. સભ્ય સંખ્યા વધારવા અને અમુક વિપક્ષી પક્ષોનો સહયોગથી સરકાર રાજ્યસભામાં જીએસટી બિલને આ સત્રમાં પાસ કરવાને લઈને ઉત્સુક છે. આ બિલ ઘણાં લાબા સમયથી સદનમાં પેન્ડિંગ છે.

કોંગ્રેસ અને અન્ય પક્ષોના વિરોધ વચ્ચે સરકાર ટેક્ષ સુધારીને સંબંધિત જીએસટી પ્રણાલીને આ વર્ષે 1 એપ્રિલથી લાગુ કરવામાં અસફળ રહી છે. કેંદ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ઘણાં લાબાં સમયથી પેન્ડિંગ જીએસટી બિલને હવે સંસદના મૉનસુન સત્રમાં લાવવામાં આવશે,તેમને ભરોસો આપ્યો છે કે આ વખતે આ બિલ પાસ થઈ જશે. સીતારમણે કહ્યું હતું કે, નાંણામંત્રી અરૂણ જેટલી જીએસટી બિલ મામલે ધ્યાન આપીને આ બિલ પાસ કરવા માટે અન્ય રાજનૈતિક પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છે. જેટલીએ હાલમાં દાવો કર્યો હતો કે, લગભગ તમામ રાજ્યોએ જીએસટી બિલ મુદ્દે પોતાની સહમતિ બતાવી દીધી છે.