Patanjali News :  પતંજલિ આયુર્દેવે  ત્વચાના ગંભીર રોગ 'સોરાયસિસ'ની સારવારમાં એક મોટી સફળતા મેળવી છે. કંપનીએ કહ્યું છે કે આ રોગ પર સંશોધન વિશ્વ પ્રસિદ્ધ ટેલર એન્ડ ફ્રાન્સિસ પ્રકાશનના જર્નલ ઓફ ઈન્ફ્લેમેશન રિસર્ચમાં પ્રકાશિત થયું છે. કંપનીનો દાવો છે કે પતંજલિના વૈજ્ઞાનિકોએ સોરોગ્રિટ ટેબ્લેટ્સ અને દિવ્ય-તેલ વિકસાવ્યા છે, જે સોરાયસિસની સારવારમાં અસરકારક સાબિત થયા છે. આ ઉપલબ્ધિ પર પતંજલિના સહસંસ્થાપક આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે આ સંશોધન આયુર્વેદની શક્તિ દર્શાવે છે.

સોરાયસિસ રોગ વિશે જાણો

સોરાયિસસ એ એક દીર્ઘકાલીન ઓટોઈમ્યૂન રોગ છે,  જેમાં ત્વચા પર લાલ ફોલ્લીઓ, ચાંદા જેવા ભીંગડા અને તીવ્ર ખંજવાળનું કારણ બને છે. આ રોગ દર્દીઓ માટે શારીરિક અને માનસિક રીતે પીડાદાયક છે. સામાન્ય રીતે એલોપેથીમાં તેના લક્ષણો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ દવાઓની આડઅસર પણ સામે આવે છે. વળી, અત્યાર સુધી તેનો કોઈ કાયમી ઈલાજ નહોતો.

સંશોધન પર પતંજલિએ શું કહ્યું?

પતંજલિએ કહ્યું છે કે, "અમે પ્રાકૃતિક ઔષધીઓનો ઉપયોગ કરીને આ પડકારને સ્વીકાર્યો છે. વૈજ્ઞાનિકોએ ઉંદર પર બે અલગ-અલગ પ્રીક્લિનિકલ મોડલમાં સૉરાયસીસની સ્થિતિ બનાવી અને સોરોગ્રિટ ટેબ્લેટ્સ તેમજ દિવ્ય-તેલનો સ્કીન પર ઉપયોગ કર્યો. આ પ્રયોગોમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા, જે આ દવાની અસરકારકતા સાબિત કરે છે. આ સંશોધન બતાવે છે કે આયુર્વેદિક સારવાર માત્ર ગંભીર રોગોના કાયમી નિરાકરણ માટે જ નહીં, પરંતુ સુરક્ષિત પણ છે.

સસ્તી સારવાર  લોકો સુધી પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય - બાલકૃષ્ણ

આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું, "પતંજલિનો ઉદ્દેશ્ય લોકોને  પ્રાકૃતિક અને સસ્તી સારવાર આપવાનો છે. આ સંશોધન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સોરાયસિસથી પીડિત લોકો માટે આશાનું કિરણ છે. પતંજલિનો આ પ્રયાસ આયુર્વેદને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.