આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં હવે તેમને જ પેટ્રૉલ આપવામાં આવશે, જેને હેલમેટ પહેરેલુ હશે. કોલકત્તા પોલીસ અનુસાર શહેરમાં હેલમેટ વિના પેટ્રૉલ નહીંના નિયમને લાગુ કરવામાં આવી રહ્યો છે.
નૉ હેલમેટ નૉ પેટ્રૉલના આ અભિયાનના માધ્યમથી વાહન ચાલકોને હેલમેટ પહેરવા માટે જાગૃત કરવામાં આવશે. કોલકત્તા પોલીસ કમિશનર અનુજ શર્માએ આદેશમાં કહ્યું- હેલમેટ વિનાના કેટલાય ટુ વ્હિલર સવારોની પાછળ પણ હેલમેટ વિના બેઠેલા હોય છે, અને ટુ વ્હિલરમાં હેલમેટ વિના કેટલાય લોકોને અકસ્માતનો ભોગ બનવુ પડે છે, અને નિયમોના ઉલ્લંઘનના કારણે આવી કેટલીય ઘટનાઓ વધી ગઇ છે.

નૉ હેલમેટ નૉ પેટ્રૉલનુ અભિયાન લગભગ 60 દિવસ સુધી ચાલશે, આને 8મી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યુ છે અને 60 દિવસ સુધી ચલાવવામાં આવશે. આનાથી વાહન ચાલકોને જાગૃત કરવાની કોશિશ કરાશે.