covid vaccine:અમેરિકી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા શોધ અનુસાર પહેલી વખત બંને કોરોના વાયરસ વેરિયન્ટ સામે ફાઇઝર અને મોર્ડના કોવિડ વેક્સિન પ્રભાવી છે. આ સ્ટડી લેબ આધારિત સ્ટડીમાં એનઆઇયૂ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને એનાઇયૂ લોંગોન સેન્ટર દ્વારા કરવામા આવી હતી. 


અમેરિકા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ શોધ અનુસાર ભારતમાં પહેલી વખત ઓળખાયેલ બે કોરોના વેરિયન્ટ સામે ફાઇઝર અને મોર્ડના વેક્સિન અસરદાર હોવાનું સામે આ્યું છે. આ લેબ આધારિત સ્ટડી એેનવાઇયૂ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને એનવાઇયૂ લેગોન સેન્ટર દ્રારા કરવામાં આવી હતી. સ્ટડીનુ તારણ છે કે, ફાઝઝર અને મોર્ડના કંપનીની વેક્સિન કોરોનાની લડત સામે પૂરી રીતે કારગર છે. આ બંને કંપની વેક્સિન લીધા બાદ સંક્રમણથી બચી શકાય છે. 



શોધકર્તાએ જણાવ્યુંકે, ફાઇઝર અને મોર્ડના વેક્સિન કોવિડ સામે લડવામાં કારગર હથિયાર છે. બંને કંપનીની વેક્સિનથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે. તેમણે જણાવ્યું કે, પહેલી ડોઝ લીધાના 2 સપ્તાહ બાદ શરીરમાં ઇમ્યુન સિસ્ટમ વિકસિત થાય છે. આ સાથે જો સંક્રમિત થાય તો પણ લોકો જલ્દી રિકવર થઇ જાય છે. મહામારીના સમયમાં આ એક રાહત ભર્યું રિસર્ચ છે. 


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ 


 કોરોના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. વિશ્વભરમાં સૌથી વધારે કેસ દરરોજ ભારતમાં જ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 32 હજાર 364 નવા કોરોના કેસ આવ્યા અને 2713 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 2 લાખ 7 હજાર લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 77420 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા મંગળવારે 1 લાખ 34 હજાર 154 નવા કેસ સામે આવ્યા હતા અને 2887 લોકોના મોત થયા હતા.


આજે દેશમાં સત 22માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 3 જૂન સુધી દેશભરમાં 22 કરોડ 41 લાખ 9 હજાર 448 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 28 લાખ 75 હજાર લોકોને રસી આપવામાં આવી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 35 કરોડ 74 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20.75 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 6 ટકાથી વધારે છે.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકાથી વધારે થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 6 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.