Independence Day 2026: 80th સ્વતંત્રતા દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા નક્સલવાદ અને માઓવાદી હિંસા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં હથિયાર ઉઠાવનારા નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોએ મોટી સફળતા હાસિલ કરી છે, પરંતુ માનસિક નક્સલની પડકારને નજરઅંદાજ કરી શકાય નહીં.

Continues below advertisement

 

Continues below advertisement

પીએમ મોદીએ કહ્યું કે નક્સલવાદ અને માઓવાદી હિંસાએ લાંબા સમય સુધી દેશના લોકો અને યુવાનોને નુકસાન પહોંચાડ્યું. તેમણે દાવો કર્યો કે 4 દાયકા સુધી એક મોટી વસ્તી આ હિંસાની લપેટમાં રહી. હવે દેશ આ પડકારમાંથી બહાર નીકળી રહ્યો છે અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો...Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

નક્સલવાદીઓ સામેના અભિયાનમાં મોટી સફળતા મળી

પ્રધાનમંત્રીએ કહ્યું કે જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલવાદીઓ સામેના અભિયાનમાં મોટી સફળતા મળી છે. જોકે, તેમણે લોકોને સાવચેત કરતા કહ્યું કે હિંસક નક્સલવાદ નબળો પડ્યો છે, પરંતુ તેની વિચારધારાને ફેલાવનારાઓને ઓળખવા જરૂરી છે. તેમણે કહ્યું કે આવા લોકોને અલગ-થલગ કરવાની જરૂર છે, કારણ કે તેઓ યોગ્ય તકની શોધમાં રહે છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આ પડકારને ઓછો ન આંકવા અને સતર્ક રહેવા અપીલ કરી હતી.

નશા મુક્ત ભારતનું પણ આહ્વાન કર્યું

પીએમ મોદીએ નશા સામે પણ દેશવાસીઓને આગળ આવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નશા મુક્ત ભારતના લક્ષ્યને પૂરું કરવા માટે સમાજના દરેક વર્ગે મળીને કામ કરવું પડશે. પ્રધાનમંત્રીનો સંદેશ સ્પષ્ટ હતો કે દેશની સુરક્ષા માત્ર હથિયારબંધ હિંસા સામે લડવા પૂરતી સીમિત નથી. યુવાનોને નશા અને હિંસાથી દૂર રાખવા અને વિકાસની મુખ્યધારા સાથે જોડવા પણ જરૂરી છે. પીએમ મોદીએ 13મી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો છે. સૌથી પહેલા તેમણે વર્ષ 2014 માં સંબોધન કર્યું હતું, જ્યારે તેઓ પહેલીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા હતા.