પીએમ મોદી આજે 11 વાગે રેડિયો પર મન કી બાત કાર્યક્રમના માધ્યમથી કેટલાક મુદ્દા પર તેમના વિચાપ રજૂ  કરી.  વર્ષ 2021નો મન કી બાતનો આ પહેલો એપિસોડ છે,  પીએમ મોદી આજે મન કી બાતમાં  ખેડૂત આંદોલન અને ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા વિશે વાત કરતા તિરંગાનું અપમાન દેશનું અપમાન ગણાવ્યું અને ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યું .


મન કી બાતના કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠકમાં ખેડૂત આંદોલન મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે સરકાર સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો છે. પીએમ મોદી મન કી બાતમાં આજે નવા કૃષિ કાયદા અને ખેડૂતના રોષ મુદ્દે વાત કરી શકે છે.

ઉપરાંત મન કી બાતમાં  પીએમ મોદીએ પદ્મ એવોર્ડ મેળવાનાર મહાનુંભાવો વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અલગ અલગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીર લોકોની પસંદગી કરાઇ છે.  તેમણે જણાવ્યું હતું કે, જેમના પ્રયાસથી કોઇની જિંદગીમાં બદલાવ આવ્યો છે. તેવા મહાનુભાવો આ એવોર્ડના હકદાર છે.