PM Surya Ghar Muft Bijli Yojana: આજના સમયમાં વધતા જતા વીજળીના ભાવો અને દર મહિને આવતા હજારો રૂપિયાના વીજ બિલ સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજો પાડી રહ્યા છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારા ઘરની છત પર 'રૂફટોપ સોલાર પેનલ' લગાવીને તમે આ ખર્ચને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો? ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના (PMSGY) ખૂબ જ લોકપ્રિય બની રહી છે, જેમાં હવે રાજ્ય સરકારો પણ મોટા બજેટ સાથે જોડાઈ રહી છે.
તાજેતરમાં જ તમિલનાડુ સરકારે આ યોજના માટે ₹50 કરોડનું અધધ બજેટ ફાળવવાની મોટી જાહેરાત કરી છે. જુલાઈ 2026 સુધીમાં તમિલનાડુમાં આશરે 316 મેગાવોટ રૂફટોપ સોલાર ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય છે અને હાલમાં જ 1,00,000 થી વધુ પરિવારો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
સોલાર પેનલ લગાવવા માટે કેટલી મળશે સબસિડી?
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા માટે મોટી આર્થિક સહાય (સબસિડી) આપવામાં આવે છે:
1 કિલોવોટ ની સોલાર સિસ્ટમ લગાવવા પર ₹30,000 સુધીની સબસિડી મળી શકે છે.
2 કિલોવોટ ની સિસ્ટમ લગાવવા પર ₹60,000 સુધીની સબસિડીનો લાભ મળે છે.
3 કિલોવોટ કે તેથી વધુ ક્ષમતાની સિસ્ટમ માટે કેન્દ્ર સરકાર તરફથી મહત્તમ ₹78,000 ની સબસિડી આપવામાં આવે છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ બંને સહાયને ભેગી કરીએ, તો પાત્રતા ધરાવતા પરિવારો હવે આશરે ₹1 લાખ સુધીની મોટી સબસિડી મેળવી શકે છે.
₹1 લાખની સબસિડીથી તમારા ખિસ્સાનો ખર્ચ કેટલો ઘટશે?
ચાલો આ ગણતરીને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ:
ધારો કે તમે તમારા ઘરે 3 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવી રહ્યા છો, જેનો કુલ અંદાજિત ખર્ચ ₹1.80 લાખ થાય છે. હવે, જો તમને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ ₹1 લાખની સબસિડી આપે છે, તો તમારે તમારા ખિસ્સામાંથી માત્ર ₹80,000 નું જ રોકાણ કરવું પડશે.
આ પણ વાંચોઃ સરકાર આપશે ફ્રી વીજળી અને કમાણીની તક: પીએમ સૂર્ય ઘર યોજનાના જુઓ તમામ ફાયદા
દર મહિને માત્ર ₹700 ની EMI!
ઘણા લોકો પાસે એકસાથે 80 હજાર રૂપિયાની વ્યવસ્થા ન પણ હોય. જો તમે સબસિડી બાદ બાકી રહેલા ખર્ચ માટે ધારો કે ₹50,000 ની બેંક લોન લેવા માંગો છો, તો તમારી EMI ખૂબ જ નાની આવશે.ઉદાહરણ તરીકે, જો બેંક તમને વાર્ષિક 9% ના વ્યાજ દરે 8 વર્ષની મુદત માટે ₹50,000 ની લોન આપે છે, તો તમારે દર મહિને અંદાજે માત્ર ₹700 નો જ હપ્તો (EMI) ભરવો પડશે! આટલી નાની રકમ તો તમારા વર્તમાન વીજ બિલ કરતા પણ ઓછી હશે.
આ યોજનાનો લાભ કોણ લઈ શકે?
અરજદાર પાસે પોતાના નામે ઘર અને એ જ સરનામા પર વીજળીનું કનેક્શન હોવું ફરજિયાત છે.
ઘરની છત પર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત 'ઓન-ગ્રીડ' (On-Grid) સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ.
ઉપયોગમાં લેવાતી સોલાર પેનલ્સ સરકારના નિર્ધારિત ધોરણો (મેક ઇન ઇન્ડિયા) મુજબની હોવી જોઈએ.
ખાસ નોંધ: સંપૂર્ણપણે 'ઓફ-ગ્રીડ' (Off-Grid) અથવા બેટરીથી ચાલતી સિસ્ટમ માટે કેન્દ્રીય સબસિડી મળવાપાત્ર નથી.
આ પણ વાંચોઃ સોલાર પેનલનું આયુષ્ય કેટલું? 5, 10 કે 25 વર્ષ? જાણો કઈ પેનલ સૌથી વધુ ફાયદાકારક
