પુણે જિલ્લાના પૌડ પાસે હેલિકોપ્ટર ક્રેશની માહિતી સામે આવી છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે. આ હેલિકોપ્ટર કોનું છે તેની માહિતી હજુ સુધી મળી નથી. ઘટનાસ્થળે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, 4 મુસાફરો સવાર હતા, પરંતુ તે મુસાફરો અંગે  હજુ સુધી માહિતી મળી શકી નથી.






આ અકસ્માત ખૂબ જ ભયાનક છે. આ અકસ્માત પૌડ નજીક ઘોટાવડે ખાતે થયો હતો. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાન અને વરસાદના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 4 લોકો સવાર હતા. તેઓ ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.






ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચી રહી છે, પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, આ ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા છે, આ દરમિયાન અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી હજુ બહાર આવી નથી. જો કે, વરસાદ અને ખરાબ હવામાનને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે. તેથી આ હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે. 


આ ઘટના અંગે એસપી પંકજા દેશમુખનું નિવેદન સામે આવ્યું છે. દેશમુખે કહ્યું, “પુણેના પૌડ ગામ પાસે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીનું હતું. તે મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતુ. હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા.


પ્રત્યક્ષદર્શીએ કહ્યું, 'તે ખૂબ જ ખતરનાક ઘટના હતી' 


આ ઘટનાના એક સાક્ષીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરી છે. આ અકસ્માત થયો ત્યારે પ્રત્યક્ષદર્શી કમલેશ સોલકર ત્યાં હાજર હતા. સોલકરે કહ્યું, "મેં જોયું કે હેલિકોપ્ટર નીચે પડ્યું હતું. હેલિકોપ્ટર નીચે પડતાની સાથે જ હું તેની નજીક ગયો હતો." મેં હેલિકોપ્ટરના પાયલટ સાથે વાત કરી. તે વાત કરી શકે તેવી સ્થિતિમાં નહોતો.  લોકોને હેલિકોપ્ટરથી દૂર ખસી જવા માટે કહી રહ્યો હતો કારણ કે હેલિકોપ્ટર ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે.