Rahul Gandhi Targets PM Modi: વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ 19 રવિવારે ગુજરાતના અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમની હાર બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને 'પનોતી' કહ્યા છે.


શું કહ્યું હતું રાહુલ ગાંધીએ


રાજસ્થાનના જાલોરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા ખેલાડીઓ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી શક્યા હોત પરંતુ પનોતીએ તેમને હરાવ્યા હતા.જાહેર સભામાં કેટલાક લોકોએ પનૌતી-પનૌતીના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જેના પર રાહુલ ગાંધીએ કહ્યું, ટીવીવાળા આ નહીં કહે, પરંતુ જનતા જાણે છે




ભાજપે કર્યો પ્રહાર


રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેમના પર પ્રહારો કર્યા છે અને તેમને તેમના નિવેદન માટે માફી માંગવા કહ્યું છે. આ અંગે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી પીએમ મોદી માટે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તે અભદ્ર છે. રાહુલ ગાંધીએ મોદીજીની માફી માંગવી પડશે. અન્યથા અમે તેને દેશમાં મોટો મુદ્દો બનાવીશું.


ફાઇનલમાં ભારતની હાર


અમદાવાદમાં 19 નવેમ્બરના રોજ ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા. ભારત માટે કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.


આ સાથે જ 241 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન ફટકારીને પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.