કોરોનાના પગલે રેલવેમાં મહત્વપૂર્ણ બદલાવ, પેસેન્જરને મળશે હવે ડિસ્પોઝેબલ ધાબળા અને ચાદર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Feb 2021 04:44 PM (IST)
કોરોના વાયરસના પગલે દુનિયામાં ઘણા મોટાપાયે બદલાવ જોવા મળ્યાં. ભારતીય રેલવેએ પણ કોરોના સંક્રમણને પગલે પેસેન્જરને ડિસ્પોઝેબલ ઘાબળા, ચાદર આપવાનો નિર્ણય કર્યો છે. જો કે પેસેન્જરે તે ખરીદવા પડશે.
કોરોના મહામારીના પગલે ભારતીય રેલેવેએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે મુજબ હવે પેસેન્જરને પ્લેટફોર્મ પરથી ડિસ્પોઝેબલ ધાબળા મળશે. રેલવે દ્રારા કરવામાં આવેલી જાહેરાત મુજબ પ્રવાસીઓએ હવે ધાબળા અને ચાદર પ્લેટફોર્મ પરથી ખરીદવા પડશે. પ્લેટફોર્મ પર ધાબળા અને ચાદર માટે કાઉન્ટર તૈયાર કરવામાં આવશે, જેના માટે ટેન્ડર પણ બહાર પડાશે.પ્લેટફોર્મ પરના કાઉન્ટર પરથી પેસેન્જર ધાબળા, ચાદર, માસ્ક અને સેનેટાઇઝર ખરીદી શકાશે, કેટલી ચૂકવવી પડશે કિંમત ડિસ્પોઝેબલ બેડિંગ કિટ ખરીદવા માટે પ્રવાસીઓએ 250 રૂપિયા એક્સ્ટ્રા ખરીદવા પડશે. જો માત્ર ચાદર ખરીદશો તો 50 રૂપિયા અને ધાબળાના 100 રૂપિયા ચૂકવવા પડશે. ઓશિકાની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. નોંધનિય છે કે, કોરોના કાળને કારણે એસી કોચમાં ધાબળા ચાદર અને ઓશિકાની સુવિધા આપવાનું બંધ કરાવામાં આવ્યું છે. પ્રવાસી હવે પ્લેટફોર્મ પરથી ડિસ્પોઝેબલ ધાબળા, ચાદર, ઓશિકા ખરીદી શકશે.