કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે વરસાદ અને ઠંડા પવન ફૂંકાયા છે.
Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ
Rain News: ગુજરાતમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, રાજ્યની વાત કરીએ તો મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે

- કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત, દિલ્હી, હરિયાણામાં વરસાદ ખાબક્યો.
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, ઠંડા પવન ફૂંકાયા.
- દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વરસાદ, તાપમાનમાં ઘટાડો નોંધાયો.
- 28-31 મે દરમિયાન ઉત્તર ભારતમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી.
Rain News: કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ છે. ગુજરાત ઉપરાંત દિલ્લી, હરિયાણાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હોવાની વાત પણ સામે આવી છે. હવામાન વિભાગે પણ દિલ્લી, યૂપી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે સાથે આંધી અને ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની આગાહી કરી છે. આ દરમિયાન વરસાદની સાથે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાીઈ શકે છે. યૂપીના અલીગઢ, ઝાંસી, મહોબા અને મથુરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો સેંટ્રલ દિલ્લી, ઈસ્ટ દિલ્લી, ન્યૂ દિલ્લી, નોર્થ દિલ્લી, નોર્થ ઈસ્ટ, નોર્થ વેસ્ટમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. દિલ્લી એનસીઆરમાં સાંજે આંધીની ચેતવણી આપવામાં આવી છે. તો હરિયાણાના ભીવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, હિસાર, મેવાત, રેવાડી, સિરસામાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, રાજ્યની વાત કરીએ તો મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં ધાનેરા, દાંતીવાડા, ડીસામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને મોડાસા, શામળાજી, ભિલોડા પંથકમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ. આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, અને લુણાવાડા, બાલાસિનોર, ખાનપુર, વીરપુરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતુ. વાદળછાયું વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાયા હતા અને લોકોને ગરમીથી રાહત મળી છે.
Rain: અસહ્ય ઉકરાળ વચ્ચે વરસાદની આગાહી, ચાર દિવસ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
દિલ્હીમાં વરસાદ
દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આકાશ વાદળછાયું બન્યું અને ઘણા વિસ્તારોમાં હળવા પવન સાથે ઝરમર વરસાદ પડ્યો, જેના કારણે ગરમીથી થોડી રાહત મળી છે. દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે પડેલા વરસાદથી લોકોને ગરમીથી નોંધપાત્ર રાહત મળી. ફિરોઝશાહ રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે હવામાન ખુશનુમા બન્યું અને તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાંજે 7 વાગ્યા સુધીમાં પ્રગતિ મેદાનમાં 48 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ગતિ નોંધાઈ હતી. આઇએમડી અનુસાર, આયાનગર અને પ્રગતિ મેદાનમાં અનુક્રમે 0.5 મીમી અને 0.9 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે આયાનગરમાં કુલ 6.5 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે, દિલ્હી ક્ષેત્રમાં હજુ સુધી વ્યાપક કે ભારે વરસાદ અને જોરદાર પવન જોવા મળ્યા નથી.
વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગે 28 થી 31 મે દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વી ભારતમાં ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. દિલ્હી-NCR સહિત ઘણા વિસ્તારોમાં ધૂળના તોફાન અને હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
Frequently Asked Questions
ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો શા માટે આવ્યો છે?
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કેવું હવામાન છે?
દિલ્હી-NCR માં વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે કયા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે?
હવામાન વિભાગે દિલ્હી, યૂપી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
રાજ્યમાં કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે?
મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગર જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે.






















