Pakistan News: પાકિસ્તાન સંસદમાં પાકિસ્તાની સાંસદોએ શાહબાઝ શરીફને કાયર કહ્યા. આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, આખું પાકિસ્તાન હાલમાં ભારતથી ડરમાં જીવી રહ્યું છે. પાકિસ્તાની સાંસદ અહીં જ ન અટક્યા, તેમણે શાહબાઝ શરીફની તુલના શિયાળ સાથે પણ કરી દીધી.

Continues below advertisement

પાકિસ્તાનની ભારત પર હુમલાના ઇરાદાના કારણ તેની હાલત વધુ ખરાબ થઈ રહી છે અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ તેનું નુકસાન સહન કરી રહ્યા છે. પાકિસ્તાન સંસદમાં પાકિસ્તાની સાંસદોએ શાહબાઝ શરીફને કાયર કહ્યા. આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આખું પાકિસ્તાન હાલમાં ભારતથી ડરમાં જીવી રહ્યું છે. પાકિસ્તાની સાંસદ અહીં જ ન અટક્યા, તેમણે શાહબાઝ શરીફની તુલના શિયાળ સાથે કરી.

પાકિસ્તાની સાંસદે શાહબાઝ શરીફ તરફ ઈશારો કરીને કહ્યું, 'તેમણે ભારતના આ મુદ્દાઓ પર કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, જનાબ-એ-ડેપ્યુટી સ્પીકર સાહેબ.' મને ટીપુ સુલતાનનો એક વાક્ય યાદ આવે છે કે જો કોઈ સૈન્યનું નેતૃત્વ સિંહ કરે અને તેની સાથે શિયાળ હોય, તો તે સિંહની જેમ લડે છે. જો સિંહોની સેનાનો નેતા શિયાળ હોય તો તેઓ લડી શકતા નથી. તેઓ યુદ્ધ હારી જાય છે. જે કોઈ પણ પ્રધાનમંત્રી હોય તે એક રાષ્ટ્રનો  અરીસો હોય છે. જ્યારે તમારા લીડર જ કાયર હોય જે મોદીનું નામ લેતા પણ ડરે છે તો  સૈનિકોને તે શું સંદેશ આપે.

Continues below advertisement

ગુરુવારે રાત્રે પાકિસ્તાને સતત બીજા દિવસે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોનથી હુમલા કર્યા. ભારતે તેની S-400 સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને ડ્રોનને  તોડી પાડીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, ભારતે LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર 50 થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે.

આ ઉપરાંત, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જોકે, સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. પાકિસ્તાની આત્મઘાતી ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેને પણ પણ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યું હતું.પહલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના હુમલાને કારણે પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. પાકિસ્તાને મિસાઇલ, ડ્રોન અને ફાઇટર જેટથી ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. હવે ભારતે પાકિસ્તાનમાં વિનાશ મચાવવાનું શરૂ કરી દીધું છે.